આ રીતે જીરૂનો ઉપયોગ કરવાથી થાય છે ઘણા ફાયદાઓ ,જેના ફાયદાઓ જાણીને તમે રહી જશો દંગ..

ભારતીય રસોઈ ઘરમાં જીરાનો ઉપયોગ એક મસાલા તરીકે કરવામાં આવે છે. જીરા નો સ્વાદ ઉત્તમ હોય છે તેની સુગંધ પણ ખૂબ સારી હોય છે. તમને જણાવી દઇએ કે જીરાનો ઉપયોગ માત્ર મસાલા પૂરતો જ નહીં પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. જીરા ની અંદર ભરપૂર માત્રામાં મેગેજીન, લોહ તત્વ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, જીંક અને ફોસ્ફરસ ભરપુર પ્રમાણમાં હોય છે.

તેનો મેક્સિકો, ઇન્ડિયા અને નોર્થ અમેરિકામાં વધુ ઉપયોગ કરવામાં આવે છે. તેની સૌથી સારી ખાસિયત એ છે કે તે વજન ઝડપથી ઘટાડે છે. જે વ્યક્તિનું વજન વધી ગયો હોય અને તે પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય તેઓએ જીરાવાળા પાણીનું સેવન કરવું જોઈએ. આ માટે તમારે બે મોટી ચમચી લઈને એક ગ્લાસ પાણીમાં આખી રાત માટે પલાળી મુકવાનું છે.

સવારે આ પાણી ને ગાળીને તેને ઉકાળીને વધેલું પાણી પી જવાનું રહેશે. જો તમે જીરૂ પસંદ કરતા હોય તો વધેલું જીરું પણ ખાઇ શકો છો. આવું તમારે દરરોજ કરવાનું રહેશે. આપણો હેતુ એ છે કે આપણા શરીરની અંદર રહેલી વધારાની ચરબી દૂર થવી જોઈએ. આ માટે તમારા શરીરની અંદર જીરુ જવું ખૂબ જરૂરી છે.

તે તમે જીરાને કોઈપણ રીતે ખાઈ શકો છો. આ માટે તમે વેજીટેબલ સૂપ બનાવીને તેમાં એક ચમચી જીરું નાખીને પણ ખાઈ શકો છો. અમે તમને જણાવી દઈએ કે જીરૂનું સેવન કરતી વખતે વજન ઓછુ કરવાની ક્ષમતા વધારવા માટે તેની સાથે તમે આદુ અને લીંબુના રસને પણ મિક્સ કરીને એનું સેવન શકો છો.

આ ઉપરાંત તેની અંદર તમે ગાજર કે પછી બીજા થોડા શાકભાજી ઉકાળીને પણ તેનું સેવન કરી શકો છો. તમે જણાવી દઈએ કે વાળુપાણી પીવાના કારણે તમારા શરીરમાં રહેલી વધારાની ચરબી દૂર થાય છે. આ ઉપરાંત જીરા મળી આવતું એન્ટીઓક્સીડેન્ટ તમારા પાચનશક્તિને વેગ આપે છે. જે લોકોને ગેસની સમસ્યા હોય તે પણ દૂર થાય છે.

જમ્યા બાદ ઘણી વખત પેટ ફૂલી જતું હોય છે આ પ્રકારની સમસ્યામાંથી પણ જીરાના પાણીથી છુટકારો મળે છે. હાડ એટેક ની સંભાવના પણ જીરા પાણી થી ઓછી થઇ શકે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer