આ વ્યક્તિએ બરબાદ કરી દીધું અનુપમાનું જીવન, હવે અનુપમા ના માથે દુઃખોનો પહાડ આવી પડશે…

તમે બધાએ અનુપમાએ સોમવારનો એપિસોડ તો જોયો જ હશે. રક્ષાબંધન પર્વ બાદ અનુપમનું જીવન હવે બદલાવવાનું છે. પરિવારોમાં ચાલી રહેલા મતભેદને કારણે વનરાજ ગુસ્સામાં આવીને અનુજ ને મળવાની જીદ કરે છે. બીજી બાજુ અનુપમાને સતત આભાસ થયા કરે છે કે કંઈક ખોટું થવાનું છે. અનુપમા ના પાડવા છતાં પણ અનુજ વનરાજને મળવા જાય છે.

પ્રિકેપમાં જે બતાવવામાં આવ્યું હતું તે જોઈને સૌ કોઈ દર્શકો અચંબામાં પડી ગયા હતા. માત્ર અનુજ નહીં પરંતુ વનરાજ પણ અકસ્માતમાં ઘાયલ થયો હતો. અનુપમા અને કાવ્યા બંને પૂજા કરવામાં વ્યસ્ત હતા ત્યાં બંનેને અકસ્માતની જાણ થતા બન્નેએ જોરથી બૂમો પાડી હતી. કાવ્યા અને અનુપમા બંને વિધવા થઈ જશે???

શું અનુપમા-કાવ્યાની માંગ સુની થશે??? આપણે સૌ જાણીએ છીએ તેમ પ્રોમોમાં બતાવવામાં આવી રહ્યું છે કે અનુજ કોમામાં જતો રહેશે અને વનરાજ શાહ જીવી જશે. પરંતુ આજે કંઈ અકસ્માત થયો એમાં કોનો વનરાજનો વાંક છે? શું આ અકસ્માત વનરાજની ભૂલને કારણે થયો છે?? લોકોને આ સવાલ સતત સતાવી રહ્યો છે. સોશિયલ મીડિયા ઉપર મળતા જવાબ પરથી અટકળો એવી ચાલી રહી છે ભૂલ વનરાજની નહીં પરંતુ અનુજ ના ભાઈ ની છે.

અનુજના ભાઈને કારણે અકસ્માત થયો હતો.એક બાજુ વનરાજ બરોબર ગુસ્સે થઈ રહ્યો હતો ત્યારે બીજી બાજુ અનુજનો ભાઈ કોઈ સાથે સતત ફોન પર વાત કરી રહ્યો હતો. સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે તેના ભાઈએ જ અનુજના કારની બ્રેક ફેઇલ કરી હતી.

પણ તેને ખબર ન હતી કે ડ્રાઇવિંગ વનરાજ શાહ કરશે અને બંનેનો આટલો ભયાનક એકસીડન્ટ થશે અને બંનેના જીવ પણ જોખમમાં મુકાશે. હજુ સુધી મેકર્સ દ્વારા આનો કોઈ જ ફોડ પાડવામાં આવ્યો નથી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer