સાવરકુંડલામાં 100 બેડનું આઇશોલેશન સેન્ટર શરૂ કરવાનું આયોજન હતું. પરંતુ જ્યારે સાંસદ સભ્ય ત્યાં પહોંચ્યા ત્યારે આ જગ્યાએ ખૂબ જ તગંદકી હતી. આ ગંદકીને સાફ કરવા માટે સાંસદ નારણભાઇ કાછડીયા એ કાર્યકરોને સફાઈ કામ માટે મંજૂર ગોતવાનું કહ્યું ,
પરંતુ મજુર ન મળતાં ચાલુ સાંસદ સભ્ય નારણભાઈ કાછડીયા એ પોતે કોઈની રાહ જોયા વગર સફાઈ કામગીરી શરૂ કરી દીધી. આ બાબતે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમનો ધ્યેય લોકોને કોઇપણ રીતે મદદ કરવાનો છે.
સાવરકુંડલા શહેરની વચ્છરાજભાઈ જીવાભાઈ પારેખ આંખની હોસ્પિટલ વર્ષોથી બંધ હાલતમાં હતી. અને આ જ જગ્યાએ નવું આઇસોલેશન સેન્ટર શરૂ કરવાની યોજના છે. જ્યાં ઓક્સિજનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવશે.
આમ તો ભારતમાં નામ પુરતી જ લોકશાહી છે. નેતાઓ ફક્ત લોકોના પૈસા સેવા કરવાનો દેખાવ જ કરતા હોય છે પરંતુ નારણભાઈ કાછડીયા એ પોતે હાથે સફાઈ કરીને હજુ સારા નેતા સમાજમાં છે તેવો અનુભવ કરાવ્યો હતો.