ભારતમાં આવેલી આ જગ્યા પર નથી પૂજાતા હનુમાનજી, હનુમાનજીના આ કામથી આજે પણ નારાજ છે લોકો….

આપણે બધા જાણીએ છીએ હનુમાનજી હિંદુઓ ના પ્રમુખ આરાધ્ય દેવો માં થી એક છે, અને સંપૂર્ણ ભારત માં એની પૂજા કરવામાં આવે છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે આપણા ભારત માં જ એક જગ્યા એવી છે જ્યાં હનુમાનજી ની પૂજા કરવામાં નથી આવતી.

એવું એટલા માટે કારણ કે અહિયાં ના રહેવાસી હનુમાનજી સ્વર કરેલા એક કામ થી આજ સુધી નારાજ છે. આ જગ્યા છે ઉત્તરાખંડ સ્થિત દ્રોણાગીરી ગામ. કેમ નારાજ છે દ્રોણાગીરી ગામ વાળા હનુમાનજીથી દ્રોણાગિરી ગામ ઉત્તરાખંડ ના સીમાંત જનપદ ચમોલી ના જોશીમઠ પ્રખંડ માં જોશીમઠ નીતિ માર્ગ પર છે.

આ ગામ લગભગ ૧૪૦૦૦ ફૂટ ની ઉંચાઈ પર સ્થિત છે. અહિયાં ના લોકો નું માનવું છે કે હનુમાનજી જે પર્વત પર ને સંજીવની બુટી માટે ઉઠાવીને લઇ ગયા હતા, તે આ જગ્યા હતી. કારણ કે દ્રોણાગિરી ના લોકો એ પર્વત ની પૂજા કરતા હતા.

તેથી તે હનુમાનજી દ્વારા પર્વત ઉઠાવીને લઇ જવાથી નારાજ થઇ ગયા. આ કારણ છે કે આજે પણ અહિયાં હનુમાનજી ની પૂજા થતી નથી. અહિયાં સુધી કે આ ગામ માં લાલ રંગ ના ઝંડા લગાવવા પર મનાઈ છે.

કેમ લઇ ગયા હતા હનુમાનજી પર્વત રામાયણ માં આવેલા એક પ્રસંગ ની અનુસાર મેઘનાથ ના બાણ થી લક્ષ્મણ મૂર્છિત થઇ ગયા. વિભીષણ ના કહેવા પર લંકા થી ડોકટર ને બોલાવ્યા. એમણે હિમાલય પર સ્થિત દ્રોણાગિરી પર્વત પર સ્થિત સંજીવની બુટી લાવવાની વાત કીધી.

હનુમાનજી આ પર્વત ને લેવા આવ્યા તો એને સંજીવની બુટી ની સાચી ખબર ન હતી. તો તે આખો પર્વત જ ઉઠાવીને લઇ ગયા. અહિયાં ના ગામ વાળા આ પર્વત ની પૂજા કરતા હતા તેથી તે હનુમાનજી થી નારાજ થઇ ગયા.

શ્રીલંકા માં સ્થિત છે સંજીવની બુટી વાળો પર્વત આજે પણ શ્રી લંકા ના સુદૂર વિસ્તાર માં શ્રી પદ નામ નો એક પહાડ છે. માન્યતા છે કે આ એ જ પર્વત છે જેને હનુમાનજી સંજીવની બુટી માટે ઉઠાવીને લંકા લઈ ગયા હતા.

આ પર્વત ને એડમ્સ પીક પણ કહે છે. આ પર્વત લગભગ ૨૨૦૦ મીટર ની ઉંચાઈ પર સ્થિત છે. શ્રીલંકા ના લોકો આને રહુમાશાળા કાંડા કહે છે. આ પહાડ પર એક મંદિર પણ બનેલું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer