અનુજના જીવનને બચાવવા માટે અનુપમા લેશે આ એક મોટો નિર્ણય…. આખરે શું હતું સત્ય તે અનુપમાને કહેશે વનરાજ…

સ્ટાર પ્લસની ધમાકેદાર સીરીયલ અનુપમામાં દિવસેને દિવસે ટીઆરપી માં વધારો જોવા મળ્યો છે. રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અભિનિત આ સીરીયલ દિવસેને દિવસે ખૂબ જ રોમાંચક થતી જાય છે.

આગલા એપિસોડમાં આપણે જોયું કે કાવ્યા અનુપમાં અને બીજા પરિવારના સભ્યોને સાચુ સત્ય કહે છે. કાવ્યા જણાવે છે કે અનુજ અને વનરાજ ખીણની ધારે ઉભા રહીને વાતચીત કરી રહ્યા હતા. આથી કાવ્યા વનરાજ અને અનુજ સાથે જવા જાય છે ત્યાં જ તેની સાડી નો પલ્લું ફસાઈ જાય છે. તે સાડીને બહાર કાઢવા જાય છે ત્યાં સુધીમાં અનુજ અને વનરાજ ત્યાંથી ગાયબ થઈ જાય છે.. આ વાત અહીં જ પૂર્ણ થતી નથી. આગળ ખૂબ જ રોમાંચિત ટવીસ્ટ આવવાનો છે..

 

View this post on Instagram

 

A post shared by Anupamaa❣️ (@mylove_.maan)


વનરાજને અનુજ સાથેની વાતચીત યાદ હશે અનુપમામાં આગળના એપિસોડમાં બતાવવામાં આવશે કે હવે વનરાજ ધીરે ધીરે સ્વસ્થ થશે અને વનરાજને હોશ આવશે. વનરાજને અનુજ સાથે થયેલી વાતચીત યાદ આવે છે અને તે કહે છે કે ” તે અને અનુપમએ મારી પાસેથી બધું જ છીનવી લીધું છે. તે મારા બાપુજી અને મારી દીકરી પણ લઈ લીધી. જ્યારે વનરાજ ને આખી વાત યાદ આવી ગઈ ત્યારે વનરાજની હાલત વધારે બગાડવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Anupamaa❣️ (@mylove_.maan)


અનુપમા અનુજ માટે મુશ્કેલ નિર્ણય લેશે ત્યારબાદ ડોક્ટર અનુપમાને અને પરિવારને કહેશે કે અનુજના મગજમાં લોહીની ગાંઠ થઈ ગઈ છે માટે અનુજનું મગજનું ઓપરેશન કરવું પડશે. જો આ ઓપરેશન નહીં થાય તો અનુજ ના જીવને જોખમ છે. આથી અનુપમા તરત જ ઓપરેશન કરવાનું નક્કી કરે છે અને ડોક્ટરને વધુ ન જોવા માટે સચેત કરે છે

વનરાજ અનુપમાને સત્ય કહેવાનો પ્રયત્ન કરશે ત્યારબાદ આગળ જોવા મળશે કે વનરાજ સ્વસ્થ થતાં અનુપમા અને કાવ્યા ને બોલાવશે અને સાચું સત્ય કહેવાનો પ્રયત્ન કરશે. પરંતુ વાત કેહતા ત્યાં જ અટકી જાય છે કે અનુજને ધક્કો… વનરાજની આ પ્રકારની વાત સાંભળીને અનુપમાં ચોકી જાય છે. આ તરફ સમર બંનેની વાત સાંભળી જાય છે. આ દરમિયાન બા અનુપમા સામે મદદની ભાવના માંગી રહી છે કે” જો તે મારા આંગણમાં એક ક્ષણ પણ વિતાવી હોય તો મારા પુત્રને પોલીસના હવાલે ન કરતી..”

Leave a reply:

Your email address will not be published.

Site Footer