જાણો કેટલી હોય છે ચારેય યુગોની અવધી, સૌથી ઓછી અવધી છે કળિયુગની, જાણો તેની પાછળનું કારણ.. 

શાસ્ત્રોમાં સૃષ્ટિના આરંભથી પ્રલય કાળ સુધીની અવધીને ચાર યુગોમાં વહેંચી દીધા છે. વર્તમાનમાં આપણે જે યુગમાં રહીએ છીએ એને કળયુગ કહેવામાં આવ્યો છે. આના પહેલા ત્રણ યુગ વીતી ગયા છે સતયુગ, ત્રેતા યુગ અને દ્વાપર યુગ. ભગવાન શ્રી રામનો જન્મ ત્રેતાયુગમાં થયો હતો અને દ્વાપરમાં ભગવાન શ્રી કૃષ્ણ નો.

કળિયુગના અંતમાં ભગવાન કલકી અવતાર લેશે અને સંસારમાં ફેલાયેલા પાપ અને અન્યાયને સામ્રાજયનો અંત કરીને ફરીથી ધર્મની સ્થાપના કરશે. ભગવાન એ ચારેય યુગમાં સૌથી ઓછી ઉમર કળિયુગને પ્રદાન કરી છે. શાસ્ત્રોમાં સતયુગની અવધી ૧૭ લાખ ૨૮ હજાર વર્ષ બતાવી છે

અને ત્રેતાની અવધી 12 લાખ ૨૮ હજાર. દ્વાપર યુગની અવધી ૮ લાખ ૬૪ હજાર છે જે ત્રેતાથી લગભગ ૪ લાખ વર્ષ ઓછી છે. કળિયુગની અવધી દ્વાપરથી ૪ લાખ ૩૨ હજાર છે. સતયુગથી કળયુગ સુધી બધા યુગોની અવધી નાની થતી ગઈ છે. એનું કારણ એ છે કે ભગવાન બતાવવા માંગે છે જે જેટલો પાપી હશે એની ઉમર એટલી ઓછી થશે.

ભવિષ્ય પુરાણ સહીત ઘણા શાસ્ત્રો અને પુરાણોમાં બતાવ્યું છે કે કળિયુગમાં પાપની પરોકામના થશે. મનુષ્યનો વ્યવહાર સૃષ્ટિના નિયમની વિરુદ્ધ થતો જશે. હિંસામાં મનુષ્ય પશુઓને પણ પાછળ છોડી દેશે. પશુ તો ખાલી એની ભૂખ મીટાવવા માટે બીજા પશુ ને મારે છે. મનુષ્ય કારણ વગર બીજા મનુષ્યને મારશે. સાચા સંત પણ ભિખારી કહેવાશે અને અપમાનિત થશે.

કથા વાચક અને ખોટા સંત ઊંચા આસન પર વિરાજમાન થશે. તુલસીદાસજી એ પણ કળિયુગના આ રૂપનું વર્ણન કર્યું છે. ત્રેતાયુગમાં રાવણ એ સીતાનું અપહરણ કર્યું પરંતુ એની મરજી વગર એને અપનાવવું પાપ સમજ્યું. આ યુગમાં નાના ભાઈ મોટા ભાઈને પ્રતિ આજ્ઞાકારી હતા. મોટા ભાઈ પોતાના સ્વાર્થ માટે નાના ભાઈની સાથે ઝગડતા ન હતા.

એનું ઉદાહરણ રામ, લક્ષમણ, ભરત અને શત્રુઘ્ન આ ચાર ભાઈ છે. ત્રેતાથી જયારે દ્વાપરમાં આવે છે ત્યારે પાપ વધતું દેખાય છે. દ્વાપર યુગમાં દિયર એની ભાભીને સભાની વચ્ચે નગ્ન કરવાની કોશિશ કરે છે જેનું ઉદાહરણ દ્રોપદી ચીર હરણ ઘટના છે. રાજા તેની શક્તિમાં લાવને પ્રેમી બનાવવા માંગે છે.

એનું ઉદાહરણ જયદ્રથ દ્વારા દ્રોપદી હરણ અને દુર્યોધન દ્વારા ભિલોની કન્યાના હરણ કરવાની ઘટના છે. ભાઈ એના સ્વાર્થની પૂર્તિ માટે પુરા પરિવારને યુદ્ધની આગમાં નાખી દે છે એનું ઉદાહરણ મહાભારત યુદ્ધ છે. પરંતુ કળિયુગમાં આવેલા દિવસ ભાઈ-ભાઈ, બાપ-બેટામાં સ્વાર્થની પૂર્તિ માટે લડાઈ થાય છે.

લોકોની કામ-વાસના એટલી વધી ગઈ છે કે દરેક દિવસોમાં સ્ત્રીઓનું હરણ થાય છે એને અપમાનિત કરવામાં આવે છે. પાપ આચરણથી ભરાઈ ગયેલો કળિયુગ જો વધારે દિવસોનો રહ્યો તો સૃષ્ટિમાં હલ્લાબોલ મચી જશે. એ જ કારણ છે કે ભગવાન એ કળિયુગને સૌથી ઓછી ઉમર દીધી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer