જાણો ચોખા ના દાણાના ચમત્કારિક ફાયદાઓ, બદલી નાખશે તમારી કિસ્મત

જ્યોતિષશાસ્ત્ર ની અંદર ચોખાને ખૂબ જ મહત્વના બતાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ચોખ્ખા ને લગતા અનેક પ્રકારના ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે. કે જેનો ઉપયોગ કરીને લોકો પોતાની ગરીબીને દૂર કરી શકે છે. અને પોતાના ઘરમાં રહેલી કોઈપણ પ્રકારની પરેશાનીઓ માંથી છુટકારો મેળવી શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ ચોખાના અમુક એવા ઉપાયો કે જેના દ્વારા તમે પણ તમારા ઘરમાં રહેલી કોઈપણ પરેશાનીમાંથી છુટકારો મેળવી શકશો..

સાથે સાથે તમારા જ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકશો. માટે ચોખાને પણ કપાળ પર લગાવવામાં આવે છે અને પૂજા પાઠ ઉપરાંત પણ ચોખાનો ઉપયોગ તંત્ર અને મંત્રમાં પણ કરવામાં આવે છે તેમ જણાવાયું છે અને આ તંત્રશાસ્ત્રના આ ટોટકા મુજબ ચોખાના ઉપયોગના કારણે જ અહીંયા અત્યંત પ્રભાવશાળી બની જાય છે .

ચોખા વિના કોઈપણ પૂજા અશક્ય છે અને જેની અસર પણ તરત જ જોવા મળતી હોય છે બીજી વાત એ પણ છે કે જીવનમાં ધનની સમસ્યા અને પરિવારમાં ક્લેશ બધુ જ ગણતરીના દિવસોમાં દૂર થઈ જાય છે અને જો તમારા ઘરમાં કોઈ અશુભ કાર્ય થતું હોય તો પણ તેને રોકી લે છે તો ચાલો આ ચમત્કારી ટોટકા વિશે આજે આપણે જાણીએ.

તો જો તમે સોમવારના દિવસે સવારમાં સ્નાનાદિ કર્મ કરી અને શિવલિંગની પૂજા કરવા જાવ છો અને આ પૂજા માટે એક કિલો ચોખા સાથે લઈ જવા જરૂર છે. જો કે શિવલિંગની પૂજા કર્યા પછી પણ અહિયાં તેના પર એક મુઠ્ઠી ભરીને ચોખા ચઢાવી દેવા તેવું કહેવામાં આવ્યું છે અને બાકી બચેલા ચોખાને દાનમાં આપી દેવા જોઈએ અને આ પ્રયોગ સતત 5 સોમવાર સુધી કરવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે અને ધનમાં અઢળક લાભ થાય છે.ચોખાના ઘણા એવા ફાયદાઓ છે જેની આપણને નોંધ પણ નથી.

શત્રુબાધા દૂર કરવા માટે આખા અડદના 38 દાણા અને ચોખાના 40 દાણા લઈ ઘરના આંગણાની જમીનમાં ખાડો કરી અને પછી તેમાં દબાવી દેવા અને તેના પર એક લીંબુ નીચોવી દેવું આવું કરવાથી તમારા ઘરમાં ધનની અછત નહી રહે અને લીંબુ નીચોવતી વખતે શત્રુના નામનું સ્મરણ કરવું જરૂરી છે આમ કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.

દિવો કર્યા પછી માતા લક્ષ્મીનું ધ્યાન કરવું અને લક્ષ્મી મંત્રની એક માળા કરવી. ધનપ્રાપ્તિ માટે આ અચૂક ઉપાય પણ અમલમાં તમે મુકી શકો છો અને કહેવામાં આવે છે કે કોઈપણ શુક્રવારે રાત્રે 10 કલાકે ઘરના એકાંતવાળા સ્થાન પર બેસી એક બાજટ પર એક કળશ રાખવો અને આ કળશ રાખવાથી ઘણા ફાયદા થાય છે અને કેસરથી સાથિયો બનાવવો જોઈએ આ અને તેમાં દૂર્વા, ચોખા અને એક રૂપિયાનો સિક્કો પધરાવવો જોઈએ.

ચોથથી શરૂ કરી આ કાર્ય 45 દિવસ સુધી કરવું. 45 દિવસ પછી એક કન્યાને ભોજન કરાવી તેને ઉપહાર આપવા. આ ચોખા ભરેલા કળશ પર શ્રીયંત્રની સ્થાપના કરવી અને તેની સામે ચાર વાટનો દિવો કરવો. તેના માટે કોઈપણ માસની શુક્લપક્ષની ચોથની તિથી પર ચાંદીની એક વાટકીમાં ગાયનું દૂધ લઈ તેમાં ખાંડ અને બાફેલા ચોખા ઉમેરી ચંદ્રોદય થતાં ચંદ્રને તે ભોગ ધરાવવો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer