ટીમ ઇન્ડિયામાં કોરોના વાયરસના વધતા કેસોને કારણે, માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચ રદ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમના સહાયક ફિઝિયો યોગેશ પરમાર ગુરુવારે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.
તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પાંચમી ટેસ્ટ મેચ પર સસ્પેન્સ હતો. શ્રેણીની પાંચમી મેચ શુક્રવારે શરૂ થવાની હતી, પરંતુ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર, ભારતીય ટીમ તેના ખેલાડીઓને મેદાનમાં ઉતારવા માટે તૈયાર નથી, જે બાદ સ્પષ્ટ થઈ ગયું કે ટેસ્ટ મેચ રદ કરવામાં આવી છે. યોગેશ પરમારને ચેપ લાગ્યા બાદ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ ગુરુવારથી પ્રેક્ટિસ પણ કરી ન હતી.
તેઓ હોટલના રૂમમાં રોકાયા છે. ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર અને ટેસ્ટ શ્રેણીમાં કોમેન્ટેટરની ભૂમિકા ભજવી રહેલા દિનેશ કાર્તિકે ‘સ્કાય સ્પોર્ટ્સ’ને કહ્યું,’ મેં ટીમ ઇન્ડિયાના ઘણા ખેલાડીઓ સાથે વાત કરી. ચોથી ટેસ્ટ બાદ મોટાભાગના ખેલાડીઓ થાકી ગયા છે.
શ્રેણીની તમામ ચાર મેચ રોમાંચક રહી છે. અને ટીમ ઇન્ડિયા પાસે માત્ર એક જ ફિઝીયો હતો. તે ફિઝિયોએ તમામ ખેલાડીઓ સાથે ઘણું કામ કર્યું. અને હવે તેઓ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ સૌથી મોટી સમસ્યા છે.
💬How many bubbles can they do?💬@DineshKarthik says the latest positive Covid test in the India backroom staff has given the squad a few ‘jitters’ at the end of a long tour. #ENGvIND
📺 Watch on Sky Sports Cricket 👉 https://t.co/fk7UysTMen pic.twitter.com/PIz7WZBDGm
— Sky Sports Cricket (@SkyCricket) September 10, 2021
દિનેશ કાર્તિકે કહ્યું કે તમારે સમજવું પડશે કે ટેસ્ટ શ્રેણી સમાપ્ત થયા બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગનો બીજો તબક્કો શરૂ થશે. તે પછી ટી 20 વર્લ્ડ કપ. તે પછી ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી. તેઓ કેટલા બબલમાં રહી શકે છે? શું આ ટેસ્ટ મેચ એક કે બે દિવસ માટે મુલતવી ન રાખવી જોઈએ? …
આ પ્રશ્ન પર દિનેશ કાર્તિકે કહ્યું કે આ કેવી રીતે થઈ શકે? ટીમના મોટાભાગના ખેલાડીઓ આજે રાત્રે 2.30 વાગ્યા સુધી જાગતાં રહ્યા. તેઓ મૂંઝાયા હતા. તેમને ખબર નહોતી કે મેચ થશે કે નહીં. આવી સ્થિતિમાં આજથી મેચ શરૂ કરવાનો કોઈ સવાલ જ નહોતો.