ગળામાં ધારણ કરી લો માં લક્ષ્મીની આ માળા, અમીર બનવાનું સપનું થઇ જશે પૂરું, જાણો…..

લોકો દુનિયાના અમીર લોકોમાં મુકેશ અંબાણીનું નામ ખુબજ શાનથી લે છે. પણ તેની જેમ અમીર બનવાનું આ સપનું તમે પણ પૂરું કરી શકો છો. જ્યોતિષ શાસ્ત્રમાં એક એવી જાદુઈ માળા વિશે બતાવામાં આવ્યું છે કે જેને ધારણ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તો એ માળા કઈ છે? શું છે તેની ખાસિયત? ચાલો જાણીએ

૧. આ માળનું નામ સ્ફટિક છે. તે એક પારદર્શક રત્ન હોય છે. તેને દેવી લક્ષ્મીનું પ્રિય માનવામાં આવે છે. કહેવાય છે તેને ધારણ કરવાથી વ્યક્તિ જીવનમાં બધી જ સુખ સુવિધાને પ્રાપ્ત કરે છે.

૨. આ માળાને ધન પ્રાપ્તિનો બધાથી સારો સ્રોત માનવામાં આવે છે. રત્ન શાસ્ત્ર અનુસાર સ્ફટિકની માળાને શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને અર્પણ કરવાથી ઘરમાં સમૃધી આવે છે.

૩. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જે લોકો ભૌતિક સુખનો લાભ લેવા ઈચ્છે છે તેને રોજ સ્ફટિકની માળાથી માં લક્ષ્મીના કોઈ પણ સિદ્ધ મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો જોઈએ તેનાથી તેમની બધી મનોકામના પૂરી થશે.

૪. જ્યોતિષ વેદો અનુસાર શુક્રવારના દિવસે આ માળાને ધારણ કરવાથી વ્યક્તિના અટકેલા કામ પુરા થાય છે. તેને કામ માટે નવા અવસર મળે છે. નોકરી તેમજ વેપાર બંનેમાં પ્રગતિ મળે છે.

૫. જો ઘર પરિવારમાં કોઈ પણ કારણથી આર્થીક સંકટ આવી જાય ત્યારે પણ સ્ફટિક રત્ન પહેરવો ખુબ જ શુભ માનવામાં આવે છે. તમે તેને ગાળામાં માળાની જેમ અથવા હાથમાં વીટી તરીકે પણ ધારણ કરી શકો છો. તેને પહેરવા માટે બુધવાર અથવા શુક્રવારનો દિવસ શુભ માનવામાં આવે છે.

૬. આ રત્ન ધારણ કરતા પહેલા તેને ગંગા જળથી શુદ્ધ કરી લો. ત્યાર બાદ તેને માં લક્ષ્મી સામે રાખી દો. રત્નને ધૂપ તેમજ દીપક કરો અને હવે ” ॐ श्री लक्ष्मये नमः “મંત્રનો જાપ કરો હવે તેને ગાળામાં ધારણ કરી લો. ગળામાં ધારણ કર્યા પછી પણ રોજ આ મંત્રનો જાપ કરી શકો છો અથવા રોજ તમે દિવસમાં એક વાર માળા કરી શકો છો.

૭. જો તમારા ઘરમાં લડાઈ ઝઘડા થતા રહે છે તો શુક્રવારના દિવસે સ્ફટીકની માળા પહેરવાથી ઘરમાં શાંતિ આવશે તેનાથી પ્રેમ સંબંધ સારો થાય છે.

૮. જો ઘરની સંપતિ કે ઘરના સદસ્યોનો પગાર વધારવો હોય તો દક્ષીણ દિશામાં તિજોરી રાખવી જોઈએ. તેનાથી ધન વર્ષા થય છે. યાદ રાખો કે તિજોરી એવી રીતે રાખો કે તિજોરીનો દરવાજો ઉતર દિશા તરફ ખુલે.

૯. જો વેપાર સારો ના ચાલી રહ્યો હોય તો તેને દુર કરવામાં પણ સ્ફટિક ખુબ જ લાભદાયી છે. દુકાન અને કારખાનાની તિજોરીમાં પૂજા માટે સ્ફટિકની માળા રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. અને વેપાર સારો ચાલવા લાગે છે તેનાથી ગરીબી દુર થાય છે.

૧૦. સ્ફટીકની માળાથી જાપ કરવાથી માનસિક શાંતિ પણ મળે છે. સાથે જ જો તેને તિજોરીમાં રાખવામાં આવે તો ધનની વૃદ્ધિ થાય છે. સાથે જ જમીન અને પ્રોપટીને લગતી મુસીબત પણ દુર થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer