વૈદિક ગ્રંથોમાં મંગળનો દિવસ સૌથી શુભ અને કલ્યાણકાર માનવામાં આવે છે. આ દિવસે મંદિરમાં ભક્તોની ખુબજ ભીડ રહે છે. આજે અમે જણાવીશું હનુમાન સાધનાના સૌથી અચૂક અને પ્રભાવી મંત્ર…
સંપત્તિ સાથે જોડાયેલ સમસ્યા હોય તો:- મંગળવારે મંદિરે જઈને હનુમાનજીની સામે ઉભા રહીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. પછી હનુમાનજી એ બુંદી અને લાડુ નો ભોગ લગાવવો, નિશ્રિત સંખ્યામાં મંત્રો નો જાપ કરવાનો સંકલ્પ કરવો,
અને ત્યાંજ બેસીને હનુમાનજીના વિશેષ મંત્રનો જાપ કરવો. એ મંત્ર છે:- ॐ मारकाय नमः આ મંત્રનો જાપ નિયમિત ૯ દિવસ સુધી કરવો. નોકરી અથવા રોજગારીની સમસ્યા હોય તો:-
મંગળવારે હનુમાન મંદિરે જઈને હનુમાનજીને ૯ લાડુ અર્પિત કરવા: પછી પીપળાના પાન પર સિંદુર થી પોતાની સમસ્યા લખી હનુમાનજીના ચરણોમાં રાખવું, અને નિશ્રિત સંખ્યામાં મંત્રોનો જાપ કરવો,
ત્યાર પછી ત્યાં જ બેસીને હનુમાનજીના વિશેષ મંત્રનો જાપ કરવો. મનર છે:- ॐ पिंगाक्षाय नमः, ૯ મંગળવાર સુધી આ મંત્રનો જાપ કરવો. માન-સમ્માન અને યશની પ્રાપ્તિ માટે:-
મંગળવારે હનુમાન મંદિરે જઈને સૌથી પહેલા રામ દરબારની સામે માથું ટેકવી પ્રણામ કરવા. પછી હનુમાનજી પાસે માન સમ્માનની પ્રાર્થના કરવી, અને નિશ્ચિત સંખ્યામાં મંત્રો નો જાપ કરવો. મંત્ર છે:-
ॐ व्यापकाय नमः મહાબલી હનુમાનના સંકટહારી મંત્ર:- પહેલો મંત્ર- ॐ तेजसे नम: બીજો મંત્ર- ॐ प्रसन्नात्मने नम: ત્રીજો મંત્ર- ॐ शूराय नम: ચોથો મંત્ર- ॐ शान्ताय नम:
પાંચમો મંત્ર- ॐ मारुतात्मजाय नमः છઠ્ઠો મંત્ર- ऊं हं हनुमते नम: મંગળવારની રાત્રે મહાબલી હનુમાનજીની સામે આ મંત્રોનો ઓછામાં ઓછા ૧૦૮ વાર જાપ કરવો, દરેક સમસ્યા દુર થઇ જશે.