જેઠાલાલ ની દીકરીના રીસેપ્શનમાં આ કલાકારોએ મચાવી ધૂમ, જુઓ તાજ હોટેલમાં યોજાયેલ ભવ્ય રીસેપ્શનની વાયરલ તસ્વીરો…

ટીવી અભિનેતા દિલીપ જોશીની પુત્રી નિયતિ જોશીના લગ્ન 8 ડિસેમ્બરના રોજ યશોવર્ધન મિશ્રા સાથે થયા હતા. તેમનું રિસેપ્શન 11 ડિસેમ્બરની સાંજે એટલે કે શનિવારે સાંજે મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલ તાજ લેન્ડ એન્ડમાં યોજાયું હતું.

આ પ્રસંગે ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી હસ્તીઓથી લઈને સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નવા-જૂના કલાકારો હાજર રહ્યા હતા.

દિલીપ જોશીના જમાઈ યશોવર્ધન મિશ્રાની વાત કરીએ તો તેઓ જાણીતા લેખક અને ગીતકાર અશોક મિશ્રાના પુત્ર છે. તેઓ શ્યામ બેનેગલની ‘વેલકમ ટુ સજ્જનપુર’માં તેમના કામ માટે જાણીતા છે.

જેઠાલાલ એટલે કે દિલીપ જોષી વતી મહેમાનોને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ નવા પરણેલા યુગલને સ્ટેજ પર કોઈ પણ ભેટ ન આપે, પરંતુ તેઓએ ફક્ત બંનેને તેમના આશીર્વાદ આપવા જોઈએ

Leave a reply:

Your email address will not be published.

Site Footer