જગતનું સૌથી વફાદાર પ્રાણી એટલે શ્વાન. તેમ છતાં મહાભારતમાં કહેવાયું છે કે, स्वर्गे लोके श्ववतां नास्ति। શ્વાન પાળવાવાળાને સ્વર્ગમાં સ્થાન મળતું નથી. પરંતુ અત્યારે કૂતરો પાળવાની એક ફેશન બની ગઈ છે. એક અર્થમાં કૂતરો પાલતૂ પ્રાણી હોવા ઉપરાંત વફાદાર છે. પણ જ્યારે તેના પ્રત્યેનો લગાવ એટલો બધો વધી જાય કે ઘરના વયસ્ક વડીલ બાજુ પર રહે અને પાલતૂ શ્વાન સ્વજન બની જાય ત્યારે આપત્તિ સર્જાય.
ઘરના કૂતરાને ડૉગ જ કહેવો પડે, આવી સ્થિતિમાં કૂતરા વિષે થોડી બાબતો આજે અમે તમને આ લેખ દ્વારા જણાવવા ના છે, જે નીચે મુજબ દર્શાવવામાં આવ્યું છે, તો ચાલો જાણીએ તેના વિષે. શાકાહારી પરિવારના પાલતૂ કૂતરાને જ્યારે માંસાહાર આપવામાં આવે ત્યારે તેનામાંથી કેતુ ગ્રહનું શુભત્વ નાશ પામે છે અને રાહુના અશુભત્વમાં ફેરવાઈ જાય છે.
હવે કૂતરો પાળવો કે કૂતરી તેના માટેના પણ નિયમ છે. જો કામયાબી મેળવવા માગતા હો કે પુત્રસંતતિ પ્રાપ્ત કરવી હોય કે સંતાનની સફળતા હેતુ કૂતરો પાળવો જોઈએ. જો કોઈ સ્ત્રીદોષમાંથી મુક્તિ મેળવવી હોય કે પુત્રનો વિવાહ ન થતો હોય તો કૂતરી પાળવી હિતાવહ ગણાય.
જો જન્મ કુંડળીમાં શુક્ર-કેતુની યુતિ થઈ હોય તો અને કૂતરો પાળ્યો હોય તો લગ્ન યોગ્ય સંતાનના વિવાહમાં રૂકાવટ આવશે, ચામડી કે સેક્સ સંબંધી સમસ્યા સર્જાય. જેની કુંડલીમાં સૂર્ય-કેતુ ભેગા હોય અને ઘરમાં કૂતરો રાખે તો પિતા સાથે મતભેદ સર્જાય, પિતાની તબિયત કે સરકારી પ્રશ્નો નડે. જેમનો વ્યવસાય શુક્રને લગતા હોય તેમણે શ્વાન પાળવાથી દૂર રહેવું.
લાલ કિતાબ અનુસાર કેતુના શુભત્વ માટે કૂતરો પાળવામાં આવે છે. યમરાજા અને કાળભૈરવનું તે વાહન છે. જ્યાં કાળો કૂતરો હોય ત્યાં નકારાત્મક ઊર્જા પ્રવેશી શકતી નથી. જે વ્યક્તિ જન્મકુંડળીમાં કાલસર્પયોગથી પીડિત હોય તેમણે રોજ કાળા કૂતરાને તેલ ચોપડી રોટલીથી તૃપ્ત કરવો. કૂતરાનું અચાનક ભસવું કે રુદન કરવું અપશુકન ગણાય છે.
શુકનશાસ્ત્ર પ્રમાણે જે શ્વાનના નખ બાવીસ કે તેથી વધારે હોય તે શુકનિયાળ ગણાય છે. ગ્રહદશામાંથી મુક્તિ મેળવવી હોય તો દુકાનમાંથી કૂતરાની ખરીદી ન કરતાં કોઈ આવારા ગલુડિયાને પાળી-પોષવા જોઈએ તથા ઘરમાં થતી પહેલી રોટલી તેને ખવડાવવી જોઈએ. શ્વાનને એવો કેળવવો કે તેને ખૂલ્લો છોડી દેવામાં આવે તો પણ તે ફરી ને પરત પોતાના સ્વામીના હવાલે આવી જાય, તેમ જ બહારની કોઈપણ વસ્તુને સ્પર્શે નહીં.