કાળ ભૈરવને માનવામાં આવે છે કાશીના કોતવાલ..

શાસ્ત્રોમાં કાળ ભૈરવને ભગવાન શિવનો અંશાવતાર માનવામાં આવે છે. કાળ ભૈરવને અપાર શક્તિઓને સ્વામી માનવામાં આવે છે. કાળ ભૈરવને અસીમ શક્તિઓની સાથે જ તાંત્રિક વિધિના સ્વામી માનવામાં આવે છે. કાળ ભૈરવની પૂજા માટે માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ સાચા મનથી કાળ ભૈરવની પૂજા કરે છે એના જીવનથી જાદુ, ભૂત પ્રેત તેમજ અન્ય કોઈ પણ બાધાનો ડર જીવનથી દુર થઇ જાય છે.મનની નકારાત્મકતાને દુર કરવા માટે બાબા ભૈરવની પૂજા કરવી જોઈએ.

બાબા ભૈરવ માટે માનવામાં આવે છે કે બાબા ભૈરવને કાશીના કોતવાલ માનવામાં આવે છે. બાબા વિશ્વનાથ કાશીના રાજા ઓળખાય છે. એવી માન્યતા છે કે બાબા ભૈરવના દર્શન કર્યા વગર જો કોઈ ભગવાન વિશ્વનાથના દર્શન કરે છે તો એને કાશી દર્શનનું શુભ ફળ નથી મળતું.

ભગવાન શિવને રુદ્રાવતાર કાળ ભૈરવનો જન્મ અગહન મહિનાની કૃષ્ણ પક્ષની આઠમની તિથિના દિવસે માનવામાં આવે છે. શિવ પુરાણમાં ભૈરવનો જન્મ લઈને એક વાર ભગવાન નારાયણ અને શંકરને લઈને વિવાદ થઇ હયો હતો. આ વિવાદમાં શ્રેષ્ઠતાને લઈને બંનેમાં યુદ્ધ થઇ ગયું હતું. પરંતુ શ્રેષ્ઠતાને સિદ્ધ કરવા માટે દેવતાઓએ વેદોને પૂછ્યું તો એનો જવાબ મળ્યો કે જેની બાજુ સંપૂર્ણ વિશ્વ પ્રારંભથી અંત સુધી ભૂત, ભવિષ્ય અને વર્તમાન વસેલું છે તે ભગવાન શંકર જ છે. શિવ જ શ્રેષ્ઠ છે, પરંતુ ભગવાન બ્રહ્માજી એ ભોલે બાબાનું અપમાન કરી દીધું હતું.

વેદ એ જયારે ભગવાન શિવ ને શ્રેષ્ઠ જણાવ્યા તો બ્રહ્માજી એમના પાંચમાં મુખથી અપશબ્દ બોલી ગયા. જેના પછી ભગવાન શંકર ના તેજથી રુદ્રાવતાર કાલ ભૈરવની ઉત્પત્તિ થઇ. એના પછી કાલ ભૈરવ એ એમના નખથી બ્રહ્માજીના પાંચમાં મુખને કાપી નાખ્યું. જે કારણથી ભૈરવને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું.

આ પાપથી બચવા માટે ભગવાન શિવે કહ્યું કે આનું પ્રાયશ્ચિત કરવા માટે તમે પૃથ્વી પર એ જગ્યા પર જાવ જ્યાં તમારા હાથથી બ્રહ્માજી નું માથું ધરતી પર પડી જાય તો સમજી જવું કે પાપનું પ્રાયશ્ચિત થઇ ચુક્યું છે. એના પછી કાશીમાં જ ભૈરવના હાથથી બ્રહ્માનું શીષ પડ્યું. અહિયાં બ્રહ્મ હત્યાના પાપથી ભૈરવને મુક્તિ મળી. જેના પછી ભૈરવને કાશીના કોતવાલના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer