અજીબ છે આ સાધુની સુવાની રીત, કારણ જાણીને ચોંકી જશો..

પ્રયાગરાજ ના કુંભ માં દેશના ખૂણા ખૂણા માંથી લોકો આવે છે અને સાથે સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ પણ કુંભ માં ડૂબકી લાગવા માટે આવે છે. જો મેળાની વાત કરીએ તો ચારે બાજુ સાધુ સંતો જોવા મળે છે. અને આબધાની વચ્ચે એક સાધુ બાબા ચર્ચાનો વિષય બની ગયા છે. આ બાબાને કાંટા વાળા બાબા ના નામથી ઓળખવામાં આવે છે.

આ બાબા કાંટાની પથારી પર સુતેલા જોવા મળે છે. જેને જોઇને દરેક લોકો જોતા જ રહી જાય છે. લોકો એને જોઇને એવા સવાલ કરે છે કે આખરે એવી શું વાત હશે કે આ બાબા એ કાંટાની પથારી પર સુવું પડતું હશે, તો દોસ્તો તમને જણાવી દઈએ કે તેની પાછળનું કારણ પણ ચોકાવનારું છે.

આ બાબા તેના ૧૮ વર્ષ પહેલા કરેલા પાપ નું પ્રાયશ્ચિત્ત કરી રહ્યા છે. આ બાબા એ ૧૮ વર્ષ પહેલા એક ગાયની હત્યા કરી હતી,  ત્યાર બાદ એ પાપ નું પ્રાયશ્ચિત્ત કરવા માટે તેઓ હંમેશા કાંટાની પથારી પર સુવે છે.

અને એ વાતનો પ્રયત્ન કરે છે કે જેનાથી એમના પાપ ધોવાઇ જાય. તેને લઈને બાબા નું કહેવું છે કે તેઓ દરેક કુંભમાં ભાગ લે છે. એટલું જ નહિ બાબા નું કહેવું છે કે તે દરમિયાન ચડવામાં તેને જે ધન પ્રાપ્ત થાય છે તેને પણ તેઓ ગાયોની દેખભાળ માં જ ખર્ચ કરે છે.

સાથે જ જ્યાં પણ ધાર્મિક કોઈ મોટું આયોજન થતું હોય ત્યાં પણ આ બાબા પહોચી જાય છે. બાબા નું કહેવું છે કે કાંટા પર સુવાથી તેને ખુબજ તકલીફ થાય છે પરંતુ તેઓ તેને સહન કરી લે છે. બાબા નું નામ લક્ષ્મણ રામ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer