ખુબ જ રહસ્યમયી હોય છે મહિલા નાગા સાધુની દુનિયા, પોતાની સાથે જે કરે છે એ તમે વિચારી પણ ન શકો 

મિત્રો આજે અમે તમને જણાવીશું કે મહિલા નાગા સાધુ એવી કઈ પરંપરા અપનાવતા હશે, જેમકે આપણા દેશ માં તો બહુ બધી પરંપરા છે, પરંતુ તેમની પરંપરા કંઇક અલગ અને ચોંકાવી દેનારી છે, તો ચાલો જાણીએ આના વિશે.

મહિલા નાગા સાધુ વિશે તમે સાંભળ્યું જ હશે, અને જો નહિ સાંભળ્યું હોય તો અમે તમને જણાવી દઈએ. મહિલા નાગા સાધુ એ ભારત માં અલગ અલગ જગ્યા એ જોવા મળે છે. પરંતુ આપણા સમાજ માં ઘણાં એવા લોકો છે, જે ઓ મહિલા નાગા સાધુ ઓને ખોટી વિચાર ધારા થી જોવે છે.

પરંતુ આ નું સત્ય કંઇક અલગ જ છે. આ એક વિચિત્ર પરંપરા રાખે છે. તો ચાલો જાણીએ, આના વિશે. મહિલા નાગા સાધુ બનવા માટે સૌથી પહેલા લગભગ ૧૨ વર્ષ સુધી કઠીન બ્રહ્મચારી બનવાનું હોય છે,

અને પોતાના ગુરુ ઉપર સંપુર્ણ રીતે વિશ્વાસ રાખવાનો હોય છે. બ્રહ્મચર્ય નું ખુબ જ વિશ્વાસ થી પાલન કરવું ખુબ જ જરૂરી છે. દરેક ગુરુ મહિલા નાગા સાધુ બનવા માટે તે મહિલા ને દીક્ષા ત્યારે જ આપે છે,

જયારે તે બ્રમ્હચર્ય નું પાલન કરે છે અને જેવી રીતે હિંદુ ધર્મ માં કોઈ પણ વ્યક્તિ ના મર્યા પછી તેનું પિંડદાન કરે છે, પરંતુ આ આશ્ચર્ય કરવા વાળી વાત છે કે નાગા સાધુ બનવા વાળી મહિલા ને પોતાનું જ પિંડદાન કરવું પડે છે.

મહિલા નાગા સાધુ બનવા વાળી મહિલા ને પોતાનું મુંડન કરાવીને નદી માં સ્નાન કરીને સ્વસ્થ થવું પડે છે અને પોતાના પરિવાર નો સંપૂર્ણ રીતે ત્યાગ કરવો પડે છે.  નિયમો ના અનુસાર તો મહિલા નાગા સાધુ ઓને વસ્ત્રો વિના રહેવાનું હોય છે,

મહિલા નાગા સાધુ એક પીળું વસ્ત્ર ધારણ કરીને પોતાના શરીર ને ઢાંકી ને રાખે છે. ત્યાર બાદ તે એક માતા થી ઓળખાવા લાગે છે. અમે જે નાગા સાધુ બનવા ની પ્રક્રિયા જણાવી, તે જ પ્રક્રિયા મહિલા અને પુરુષ બંને માટે ખુબ જ જરૂરી હોય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer