હવે બોલિવૂડ સેલેબ્સ પણ સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં ફસાયા છે. અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ બાદ હવે ડાંસર અને અભિનેત્રી નોરા ફહેતી આજે પૂછપરછ માટે દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ઓફિસ પહોંચી છે. એવા અહેવાલ છે કે જેકલીન આવતીકાલે આ મામલે હાજર થશે.
અહેવાલ છે કે જેકલીન સિવાય નોરાનું સુકેશ ચંદ્રશેખર સાથેનું જોડાણ પણ 200 કરોડના રિકવરી કેસમાં બહાર આવી રહ્યું છે. ED આ સંબંધમાં બંને અભિનેત્રીઓની પૂછપરછ કરવા માંગે છે. જેકલિનને અગાઉ પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે નોરા અને જેકલીનની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (PMLA એક્ટ) હેઠળ પૂછપરછ કરવામાં આવશે. તપાસ એજન્સીઓ નોરા અને જેક્લીન તરફથી સુકેશ સાથે કોઈ લેવડદેવડ છે કે કેમ તે શોધવાનો પ્રયત્ન કરશે.
તમને જણાવી દઈએ કે આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે તિહાર જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરના 200 કરોડની ખંડણીના સમાચારે ED ના હોશ ઉડાવી દીધા. સુકેશે આ રકમ એક વેપારીની પત્ની પાસેથી વસૂલ કરી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે સુકેશની પત્ની લીના પોલ પણ આ બધામાં સામેલ હતી. પોલીસે જણાવ્યું કે પોલે ચંદ્રશેખરને ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંહને છેતરવામાં મદદ કરી હતી.
હવે આ કેસના તાર બોલીવુડ સાથે જોડાવા લાગ્યા છે. અગાઉ આ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝનું નામ સામે આવ્યું હતું. હવે આગળનું નામ નોરાનું છે જેની ED પૂછપરછ કરી રહી છે.