જાણો શમીના વૃક્ષનું ધાર્મિક મહત્વ…

દરેક વૃક્ષ અને છોડ પોતાની અંદર એક વિશેષ ગુણ રાખે છે. તેની આકૃતિ, રંગ, સુગંધ, ફળ અને ફૂલ અલગ અલગ પ્રભાવથી અલગ અલગ ગ્રહો સાથે સબંધ ધરાવે છે. જો ગ્રહો સાથે સબંધિત છોડ લગાવી તેનું ધ્યાન રાખવામાં આવે અને તેની પૂજા અને ઉપાસના કરવામાં આવે તો વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. શાની ની સાથે સબંધ રાખનાર છોડનું નામ શમી છે. શનિ ની કૃપા પ્રાપ્ત કરવા માટે અને તેની પીડાથી મુક્તિ માટે શમીના છોડનો વિશેષ પ્રયોગ કરવો જોઈએ.

શમીનો સબંધ શની સાથે શા માટે છે અને તેનું ધાર્મિક મહત્વ શું છે?

  • માન્યતા છે કે ભગવાન શ્રી રામે લંકા પર આક્રમણ કરતા પહેલા આ છોડની પૂજા કરી હતી.
  • પાંડવોએ અજ્ઞાતવાસમાં પોતાના બધા જ અસ્ત્ર-શસ્ત્ર આ જ વૃક્ષમાં છુપાવ્યા હતા. તેથી જ આ વૃક્ષને અદભુત શક્તિનું પ્રતિક માનવામાં આવે છે.
  • શમીનું વૃક્ષ કોઈ પણ પરિસ્થિતિમાં જીવિત રહી શકે છે. અત્યંત સુક્ષ્મ પરિસ્થિતિ પણ તેને નુકશાન નથી પહોચાડી શક્તિ.
  • તેની અંદર નાના નાના કાંટા પણ જોવા મળે છે, જેથી તે સુરક્ષિત રહે.
  • તેના કઠોર ગુણ અને શાંત સ્વભાવના કારણે તેને શનિદેવ સાથે જોડવામાં આવે છે.

શમીની સ્થાપના કેવી રીતે કરવી:-

  • શમીનું વૃક્ષ વિજયા દશમીના દિવસે લગાવવું શુભ માનવામાં આવે છે.
  • શમીને શનિવારના દિવસે લગાવી શકાય છે તેને કુંડામાં અથવા જમીન પર ઘરના મુખ્ય દરવાજાની નજીક પરંતુ તેને ઘરની અંદર ના લગાવવું જોઈએ.
  • વહેલી સવારે તેમાં પાણી નાખવું અને એ વાતનું ધ્યાન રાખવું કે આ છોડ સુકાઈ નાં જાય.

કેવી રીતે શમીના છોડની ઉપાસના કરવી કે જેનાથી શનિની પીડાથી મુક્તિ મળે?

  • ઘરમાં ઉગાડેલ શમીના વૃક્ષ નીચે દર શનિવારે દીપક પ્રગટાવવો.
  • અ દીવો સરસોના તેલનો હોવો જોઈએ.
  • નિયમિત રૂપથી તેની ઉપાસના થી શનીની દરેક પ્રકારની પીડાનો નાશ થાય છે.
  • શમી ના પાન જેટલા વધુ ઘટા હોય, એટલી જ ઘરમાં ધન-સંપત્તિ અને સમૃદ્ધિ આવશે.
  • જો શની ના કારણે સ્વાસ્થ્ય અથવા કોઈ દુર્ઘટનાની સમસ્યા છે, તો શમી ના લાકડા ને કાળા દોરમાં લપેટીને પહેરવું.
  • શનિની શાંતિ માટે શ્મિન્ક લાકડા સાથે કાળા તાલથી હવન કરવો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer