પંડ્યા સ્ટોરની અભિનેત્રી સિમરન બુધરૂપ જન્મદિવસે શેરીના કૂતરાઓને એક્સિડન્ટથી બચાવવા માટે રેફલેક્ટિવે બેલ્ટ બાંધશે; વધુ જાણવા માટે વાંચો..

પંડ્યા સ્ટોર અભિનેત્રી સિમરન બુધરૂપ, આજે 2 ઓગસ્ટના તેના જન્મદિવસ ઉજવણી કરે છે. જન્મદિવસ પર બોક્સની બહાર કંઈક કરવાની યોજના બનાવી રહી છે. અભિનેત્રીએ જાહેર કર્યું કે તે શેરીના કૂતરાઓને વાહનો સાથે એક્સિડન્ટ થી બચાવવા માંગે છે

અને તેના માટે તે તેમને રિફલેક્ટિવ બેલ્ટથી બાંધવા જઈ રહી છે. સિમરન આગળ જણાવે છે કે તે પોતે શું ભેટ આપવા જઈ રહી છે અને તે પોતાના માટે શું ઈચ્છે છે. તેણીએ કહ્યું, “હું મારી જાતને ભેટ આપવામાં માનું છું

અને હું મારી જાતને એક ફોન ભેટ આપું છું. અને હું ઈચ્છું છું કે પંડ્યા સ્ટોર આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહે અને તે ખૂબ સારું પ્રદર્શન કરે કારણ કે આ શો મારી ખૂબ નજીક છે.

નઝર, પરવરિશ અને દુર્ગા માતા કી છાયા જેવા લોકપ્રિય ટીવી શોમાં તેણે અભિનય દ્વારા લાખો દિલ જીતી લીધા છે. પંડ્યા સ્ટોર ચાર ભાઈઓની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરે છે

જેઓ એક બીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને એકબીજાની ખુશી માટે કંઈ પણ કરી શકે છે. ધારા કે જે પરિવારને સાથે રાખે છે અને ગૌતમના ભાઈઓને તેના બાળકોની જેમ પ્રેમ કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer