અનુપમા એક્ટ્રેસ તસ્નીમ શેખે સોશિયલ મીડિયાથી બ્રેક લીધો, તેના ફેન્સને લાગ્યો આઘાત….

લોકપ્રિય હિન્દી ટેલિવિઝન શો અનુપમામાં રાખી દવેની ભૂમિકા ભજવનાર તસ્નીમ શેખે તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેનાથી તેના મિત્રો અને ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે.

તસ્નીમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નાનકડી ક્લિપ શેર કરી જેમાં લખ્યું હતું કે, “નાના બ્રેક બાદ મળીશું મિત્રો.”પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “અચ્છા ચલતી હું દુવાં મેં યાદ રખના.”

 

View this post on Instagram

 

A post shared by Tassnim sheikh (@tassnim_nerurkar)


તસ્નીમ શેખે થોડા દિવસો માટે પોતાને સોશિયલ મીડિયાથી દૂર રાખવાનો નિર્ણય લીધો છે અને તેના ઇન્સ્ટાગ્રામ દ્વારા આની જાહેરાત કરી છે. પોસ્ટ શેર કરતા તસનીમ શેખે તેના ચાહકોને કહ્યું કે તેણે થોડા સમય માટે સોશિયલ મીડિયામાંથી બ્રેક લીધો છે. અભિનેત્રી શોમાંથી ગાયબ છે, પરંતુ તેના સોશિયલ મીડિયા દ્વારા તે સતત તેના ચાહકો સાથે જોડાયેલી હતી.

તસ્નીમના ચાહકોની સાથે, તેના મિત્રોએ પણ આ પોસ્ટ પર કૉમેન્ટ કરી છે. રામાનંદ સાગર પૌરાણિક નાટક રામાયણમાં સીતાની રજૂઆત માટે જાણીતી દીપિકા ચીખલિયાએ પણ તસ્નીમની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે, “તમે ક્યાં જઈ રહ્યા છો?”

 

View this post on Instagram

 

A post shared by Tassnim sheikh (@tassnim_nerurkar)


આ દરમિયાન, તેના નિર્ણયથી દુ:ખી થયેલા એક ચાહકે લખ્યું, “તમે અનુપમામાં ન આવો, હવે તમે અહીંથી પણ જતા રહ્યા છો. પ્લીઝ ના જાવ.”

અનુપમા શોમાં તસ્નીમ કેટલાક કારણોસર, તે છેલ્લા કેટલાક એપિસોડથી શોમાં ગાયબ છે. તસ્નીમ લોકોમાં જાણીતો ચહેરો છે. તે ઐતિહાસિક ટેલિવિઝન ડ્રામા જોધા અકબરમાં પણ નકારાત્મક ભૂમિકામાં જોવા મળી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer