વનરાજને આવશે હાર્ટએટેક, શું શો માંથી કપાઈ જશે સુધાંશુ પાંડેનું પત્તું??

ટીવી સિરિયલ અનુપમાની સ્ટોરી હાલના દિવસમાં ફિલ્મી અંદાજમાં આગળ વધી રહી છે. રૂપાલી ગાંગુલી અને સુદ્ધાંશું પાંડે સ્ટારર આ સિરિયલમાં જલ્દી જ ઘણા મોટા ટ્વીસ્ટ આવવાના બાકી છે.

થોડા દિવસ પહેલા ખબર આવી હતી કે સુદ્ધાંશું પાંડેને એક પોલિટિકલ ડ્રામા બેઝડ વેબ સિરીઝ સાઈન કરી લીધી છે. એ સાથે જ અફવા ઉડવા લાગી કે સુદ્ધાંશું વચ્ચે જ અનુપમાં શોને ટા ટા બાય બાય કહી દેશે. આવનારા દિવસોમાં મેકર્સ આ સિરિયલની સ્ટોરી એ અંદાજમાં વધારવાના છે કે હવે આ અફવાઓ સાચી લાગવા લાગશે.

કાવ્યાના કારણે રોડ પર આવી જશે બધા: બીજી બાજુ કાવ્યા બધાને જણાવશે કે હવે શાહ હાઉસ એના નામે થઈ ચૂકયુ છે. એવામાં હવે એની સામે કોઈનું નહિ ચાલે. કાવ્યા શાહ હાઉસમાંથી એક એક કરીને બધાને કાઢી મુકશે. અને વનરાજ ક્યાંય નો નહિ રહે.

વનરાજને આવશે હાર્ટ એટેક: અનુપમાંના અપકમિંગ એપિસોડમાં બતાવવામાં આવશે કે વનરાજની હાલત ખરાબ થવાની છે..વનરાજને લાગવા લાગે છે કે એના ઘરમાં થઈ રહેલા ઝગડા માટે એ જ જવાબદાર છે.

હાલત બેકાબુ થતા જોઈને વનરાજ પરેશાન થઈ જશે અને એને હાર્ટ અટેક આવી જશે.  ટેલિચક્કરની એક રિપોર્ટનું માનીએ હાલના દિવસોમાં અનુપમાંના સેટ પર એ જ ટ્રેકનું શૂટિંગ ચાલી રહ્યું છે.

શુ સુદ્ધાંશું પાંડે છોડી દેશે શો. : હવે એવામાં સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે શું સુદ્ધાંશું પાંડે ખરેખર અનુપમાં છોડી દેશે?  શુ મેકર્સ વનરાજના હાર્ટ અટેક વાળો ટ્રેક એટલા માટે લઈને આવશે જેથી શોમાંથી સુદ્ધાંશું પાંડેના પાત્રને સરળતાથી કાઢી શકાય?

હાલ પૂરતું સુદ્ધાંશું પાંડે તરફથી આ વિશે કોઈ નિવેદન નથી આવ્યું. એવામાં જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં સુદ્ધાંશું પાંડેનો નિર્ણય શુ હશે?

Leave a reply:

Your email address will not be published.

Site Footer