અનુપમા: શો છોડ્યા બાદ સિક્યોરિટી ગાર્ડ બન્યો વનરાજ શાહ, માંગી રહ્યો છે નોકરી….

સ્ટાર પ્લસના લોકપ્રિય શો અનુપમાના વનરાજ શાહ ચોકીદાર બન્યા છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ સત્ય છે. વાસ્તવમાં વનરાજે પોતે આ તસવીર શેર કરી છે, જેમાં તે ચોકીદારના કપડામાં જોવા મળી રહ્યો છે, પરંતુ લોકોને નોકરી પણ માંગી રહ્યો છે.

ટીવી શો અનુપમામાં વનરાજનું પાત્ર ભજવતા અભિનેતા સુધાંશુ પાંડેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં તે સિક્યોરિટી ગાર્ડનો ડ્રેસ પહેરેલો જોવા મળી રહ્યો છે અનુપમામાં સુધાંશુ પાંડે વનરાજ શાહનું પાત્ર ભજવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર સુધાંશુની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તે ગાર્ડના પોશાકમાં છે. તેણે તસવીર સાથે જે કેપ્શન લખ્યું છે તેના પરથી સ્પષ્ટ છે કે સુધાંશુ હવે સિક્યોરિટી ગાર્ડ બનવાનું વિચારી રહ્યો છે. અભિનેતાએ કેપ્શનમાં લખ્યું- ‘શું કોઈને સુરક્ષા ગાર્ડની જરૂર છે?’

અનુપમાના આજના એપિસોડમાં તમે જોશો કે અનુજ કાપડિયા અનુપમાને તેના શાહ હાઉસ ખાતેના ઘરે ડ્રોપ કરે છે. શાહ હાઉસમાં વનરાજ હસીને અનુપમા સાથે વાત કરે છે, જે અનુજને બિલકુલ પસંદ નથી.

બીજી તરફ અનુપમા અને વનરાજને આ રીતે જોઈને કાવ્યાને પણ ઈર્ષ્યા થાય છે. બીજા સીનમાં બા અને અનુપમા કિંજલને ખૂબ ખવડાવે છે. દરમિયાન, રાખી દવે આવે છે અને બાને સંભળાવવાનું શરૂ કરે છે.

રાખી દવે ગુસ્સામાં કહેશે કે તે તેની દીકરી માટે મોંઘી વસ્તુઓ લાવી છે અને તે બધું જ ખાઈ જશે. ત્યારપછી અનુપમા રાખીને સામેના પગે પાછા જવાનું કહેશે અને રાખી સામાન પાછો લેવા લાગી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer