અનુપમા ટ્વીસ્ટ અલર્ટ: અનુપમા ઉપર હુમલો કરશે કાવ્યા, વનરાજ અને અનુજ મળીને તેની અક્કલ ઠેકાણે લાવશે…

રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, ગૌરવ ખન્ના અને મદાલસા શર્મા સ્ટારર ફેમસ ટીવી શો ‘અનુપમા’ની સ્ટોરી હવે એવા ટ્રેક પર પહોંચી ગઈ છે જેની કોઈને ખબર પણ ન હતી. હા! પોતાના પરિવાર અને સમગ્ર સમાજ સાથે લડીને કાવ્યાને જીવનસાથી બનાવનાર વનરાજ હવે તેને છૂટાછેડા આપવા જઈ રહ્યો છે.

તે જ સમયે, કાવ્યા અને અનુપમા વચ્ચે પણ હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળશે. છેલ્લા એપિસોડમાં, આપણે જોયું કે કાવ્યા લગ્નની વચ્ચે અનુપમાનું અપમાન કરે છે અને ત્યારબાદ બંને એક રૂમમાં વાત કરવા જાય છે.

 

View this post on Instagram

 

A post shared by anupma_maa (@anupma__maa)


ત્યાં અનુપમા તેને સમજાવે છે કે તેના કપટને કારણે તે પરિવારથી દૂર થઈ ગઈ છે. આનાથી આગળ, આગામી એપિસોડમાં આજે એટલે કે 4 ડિસેમ્બર શનિવારના રોજ, આપણે કાવ્યાનું તે સ્વરૂપ જોઈશું જે ક્યારેય કોઈએ જોયું ન હતું.

કારણ કે હવે કાવ્યા, બા અને બાપુજીના લગ્નની ભેટ તરીકે શાહ હાઉસ તેમના નામ પર રાખવામાં આવનાર છે. તે પોતાની ભૂલ સુધારવાનો પ્રયત્ન કરશે અને આખા ઘરની માફી માંગશે. તે કહેશે કે તેને કુટુંબ જોઈએ છે મિલકત નહીં. તેણી કહેશે કે અનુપમાના શબ્દોથી તેણીને સમજાયું છે કે કુટુંબ મહત્વપૂર્ણ છે.

 

View this post on Instagram

 

A post shared by anupma_maa (@anupma__maa)


આ હાઈ વોલ્ટેજ ડ્રામા પછી, આપણે જોઈશું કે વનરાજ ઘર છોડવાની તૈયારી કરશે. કાવ્યા તેના પગ પકડીને તેની સામે આજીજી કરશે. પણ વનરાજનું હૃદય પીગળે નહિ. આ પછી વનરાજની બહેન ડોલી વનરાજને સમજાવવા અનુપમા પાસે મદદ માંગશે.

તો હવે જોવાનું એ રહેશે કે અનુપમા લગ્ન તોડવાના નિર્ણયથી તેના પૂર્વ પતિને હલાવી શકશે કે કેમ. કાવ્યા સાથે જે થયું તે તેની સાથે થતું અટકાવી શકશે?

 

View this post on Instagram

 

A post shared by anupma_maa (@anupma__maa)

Leave a reply:

Your email address will not be published.

Site Footer