વનરાજ બરખાના ચક્રવ્યુહમાં ફસાઈ જશે, બરખા દગો કરીને અનુપમા પાસેથી બધી મિલકત છીનવી લેશે….

ટીવી સીરીયલ અનુપમા આ દિવસોમાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે.. આપણે બધા જાણીએ છીએ તેમ એક જ અકસ્માતને કારણે અનુપમા અને અનુજનું જીવન વિખેરાઈ ગયું છે

અનુપમા સિરિયલમાં આપણે જોયું કે અનુજને સંપૂર્ણપણે સારું થતુ નથી.. આખા પરિવાર હોવા છતાં પણ અનુપમા એકલી પડી ગઈ છે. આપણે ગયા એપિસોડમાં જોયું કે અનુપમા અનુજનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવા માંગે છે પરંતુ બરખા અને અંકુશ ને આ વાત પસંદ આવતી નથી

આથી બરખા અનુપમાંને સબક શીખવાડવાનું નક્કી કરે છે અને તે વનરાજની કમ્પ્લેન પોલીસને કરી દે છે.. આવનારા એપિસોડમાં આપણને જોવા મળશે કે બરખા અનુપમા વિરુદ્ધ એક ષડયંત્ર રચશે..

 

View this post on Instagram

 

A post shared by anupamaa (@anupamaa.starplus.official)


આવનારા એપિસોડમાં જોવા મળશે કે અનુપમાં જન્માષ્ટમીના દિવસે અનુજનો જન્મદિવસ ઉજવશે. જેમાં અનુપમા રાધા બનશે અને અનુજને કૃષ્ણ બનાવશે.. અનુજ ની તબિયત ખરાબ થતા અનુપમા ડોક્ટરને ઘરે આવવાનું કહે છે અને ડોક્ટર કહી રહ્યા છે કે અનુજ હવે ઝડપથી સાજા થઈ રહ્યા છે. તેની વચ્ચે નાની અનુ પણ કૃષ્ણ બનીને તેની મમ્મીનું દિલ જીતી લેશે..

આવનાર દિવસમાં અનુપમા સિરિયલમાં જન્માષ્ટમીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થતી જોવા મળશે. જેમાં અનુપમા બાપુજીને એક મેસેજ કરશે અને જન્માષ્ટમીની શુભેચ્છા આપશે. એક બાજુ વનરાજ અનુપમાના આવવાની રાહ જોવે છે અને વનરાજની ખાતરી છે કે અનુપમા આખા પરિવારને તેના ઘરે બોલાવશે. વનરાજ કહે છે કે તેને એકવાર અનુજને જોવો છે આથી આ અંગે તેના ઘરના સભ્યોને કહે છે પરંતુ બધા જ વનરાજ ને ત્યાં જવાની ના પાડી દે છે.. વનરાજનું આવું વર્તન જોઈને કાવ્યા ઘભરાય જાય છે.

 

View this post on Instagram

 

A post shared by anupamaa (@anupamaa_love_you)


બરખા અનુપમાને રસ્તામાં લાવશે: બરખા ટૂંક સમયમાં અનુપમાની પ્રોપર્ટી છીનવી લેવાનો પ્લાન બનાવશે. જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન અનુપમા રાધા તરીકે ખૂબ જ ડાન્સ કરશે. આ દરમિયાન વનરાજ અનુજને મળવા પહોંચશે. વનરાજ અનુજને મળીને ઘણું બધું પૂછશે. વનરાજને જોઈને બરખાને ગુસ્સો આવશે. બાદમાં બરખા અનુપમાને જમીન મિલકતના કાગળો સોંપશે. અનુપમાને પણ ખબર હશે કે બરખાએ કપટથી બધું છીનવી લીધું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer