શાસ્ત્રો માં અમુક એવા નિયમો વિશે કહેવામાં આવ્યું છે જે નિયમો નું પાલન કરવાથી ભગવાન ની કૃપા હંમેશા માટે જીવનમાં બની રહે છે. એની સાથે જ અમુક એવા નિયમ છે જે ભગવાન ને વિવશ કરી દે છે, પ્રસન્ન થવા માટે એમની કૃપા વરસાવા માટે.
આજે અમે આ લેખમાં એક એવી જ પૌરાણિક કહાની કહેવા જઈ રહ્યા છીએ. વાત એ દિવસો ની છે જયારે મહારાજ યુધિષ્ઠિર ઇન્દ્રપ્રસ્થ માં રાજ્ય કરતા હતા. મહારાજ યુધિષ્ઠિર રાજા ના રૂપ માં પ્રજા નું હંમેશા ધ્યાન રાખતા હતા, એની સાથે જ તે દાન પુણ્ય નું કામ પણ કરતા હતા.
એના આ ગુણ ના કારણે એની પ્રસિદ્ધી દુર દુર સુધી ફેલાવવા લાગી જેના કારણે એના ભાઈઓ ને આના પર અભિમાન થવા લાગ્યું. એવામાં કહેવામાં આવે છે કે ભગવાન એમના ભક્તો પર અભિમાન ને બિલકુલ પસંદ નથી કરતા.
એવું જ પાંડવો ની સાથે થયું. એક વાર જયારે શ્રી કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થ આવ્યા તો ભીમ તેમજ અર્જુન એ યુધિષ્ઠિર ની પ્રશંસા કરવાનું શરુ કર્યું કે તે કેટલા મોટા દાની છે. એ સમયે કૃષ્ણ એ એને વચ્ચે જ ટોકી દીધા હતા અને કહ્યું કે અમે કર્ણ જેવા દાનવીર બીજે ક્યાંય નથી સાંભળ્યું.
આના પર પાંડવો ને ભગવાન કૃષ્ણ ની આ વાત પસંદ ન આવી. તો ભીમ એ પૂછી જ લીધું, કેવી રીતે? ત્યારે કૃષ્ણ એ કહ્યું કે સમય આવવા પર કહીશ. યુધિષ્ઠિરે એ સમયે કોષાગાર ના કર્મચારી ને બોલાવીને કોષ થી ચંદન ની લાકડી આપવાનો આદેશ આપ્યો.
પરંતુ સંયોગ થી કોષાગાર માં પણ સુકી લાકડી ન હતી. એ સમયે મહારાજ એ ભીમ તેમજ એજુન ને ચંદન ની લાકડી નો પ્રબંધ કરવાનો આદેશ આપ્યો. વરસાદ ના કારણે ભીમ તેમજ અર્જુન ની દોડાદોડી પણ વ્યર્થ ગઈ ક્યાંય પણ સુકી લાકડી ની વ્યવસ્થા થઇ શકી નહિ.
એ સમયે બ્રાહ્મણ ને હતાશ જોઇને કૃષ્ણ એ કહ્યું કે મારા અનુમાન થી તમને એક જગ્યા પર લાકડી મળી શકે છે. પછી બ્રાહ્મણ ના ચહેરા પર ખુશી જોવા મળી. ભગવાન એ અર્જુન તેમજ ભીમ ને પણ ઈશારો કરી વેષ બદલીને બ્રાહ્મણ ની સાથે જવાનું કહ્યું.
જેના પછી કૃષ્ણ બધાને લઈને કર્ણ ના મહેલ માં ગયા. યાચક બ્રાહ્મણ એ જઈને ચંદન ની લાકડા ની માંગ કરી. તો કર્ણ એ પણ એમના ભંડાર માં ચંદન ની સુકી લાકડી ન હોવાની વિશે કહ્યું જેને સાંભળીને બ્રાહ્મણ નિરાશ થઇ ગયા. એ સમયે અર્જુન અને ભીમ ભગવાન ને તાકવા લાગ્યા.
પરંતુ કર્ણ એ એ સમયે એમના મહેલ ની બારી તેમજ દરવાજા માં લાગેલી ચંદન લાકડી કાપી કાપી બ્રાહ્મણ ને આપી દીધી. બ્રાહ્મણ લાકડી લઈને કર્ણ ને આશીર્વાદ આપીને પાછા વળી ગયા. એના પછી પાંડવો ને ભગવાન કૃષ્ણ એ કહ્યું સાધારણ અવસ્થા માં દાન આપવું કોઈ વિશેષતા નથી, પરંતુ અસાધારણ પરિસ્થિતિ માં કોઈ ને દાન આપવું કોઈ ના માટે આપનું સર્વસ્વ ત્યાગ કરી દેવું જ દાન છે.