તારક મહેતા માં આદર્શવાદી ભીડેના આદર્શ રહી ગયા ખાલી નામના, ભીડે ના મોઢે ખોટું સાંભળીને માધવી ભાભી થયા ગુસ્સે, ખુલી ગઈ પોલ….

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી આત્મારામ ભીડે એક સંપૂર્ણ આદર્શવાદી છે જે ક્યારેય જૂઠનો આશરો લેતા નથી. હંમેશા સત્યના માર્ગે ચાલતાં ભીડેના આદર્શો હવે બદલી ગયા છે.

ભૂલથી માધવીની સાડી શું બળી ગઈ, ભીડે એક પછી એક જૂઠ બોલતા ગયા. પરંતુ હવે ભિડેની પોલ ખુલ્લી પડી ગઈ છે . બન્યું એવું કે માધવીએ ભીડેને તેની સાડી ઈસ્ત્રી માટે આપી. આ તે સાડી હતી જે માધવીને તેના ભાઈએ ભેટમાં આપી હતી અને તે આ સાડી પહેરવા માંગતી હતી.

પરંતુ સાડી બળી ગઈ હતી. આ સાડીને ઠીક કરવા માટે, ભીડેએ દરજીને આપી અને તેણે માધવી માટે બરાબર એ જ સાડી ખરીદી. જો કે બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ ટેલરે ખોટા સમયે આવીને આખી રમત બગાડી નાખી.

તેણે અજાણતાં જ માધવીની સામે ભીડેની તમામ પોલ ખુલ્લી કરી દીધી. માધવીને બધુ ખબર પડી ગયું. જ્યારે આદર્શવાદી ભીડેનું આવું સત્ય જાણીને માધવી પણ ચોંકી ગઈ હતી. અને તેને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો.

જો કે સત્ય જાણીને તેને પણ ગુસ્સો આવી રહ્યો છે. અને આ ગુસ્સામાં તે શું પગલાં લેશે. આ તો આવનારા એપિસોડમાં જ ખબર પડશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer