અહીં મહાદેવ છે જુડવા સ્વરૂપમાં, જેને પણ દર્શન કરવાનું સૌભાગ્ય મળે તેને થાય છે મોક્ષની પ્રાપ્તિ

આને મહાદેવની મહિમા કહો, શિવનો ચમત્કાર કહો અથવા પછી ભોળેનાથનું વરદાન. નર્મદા કિનારે બનેલા આ મંદિરમાં ભક્તોને એક નહિ પરંતુ બે રૂપોમાં મહાદેવ દર્શન આપે છે.

ગુજરાતમાં નર્મદા કિનારે નદીના કાંઠા પાસે બનેલું આ ઓઘડદાનીનું આ અદભૂત અને ચમત્કારી મંદિર છે. અહિયાં મહાદેવ ના એક રૂપને ધનેશ્વર તો બીજાને લુકેશ્વરના નામથી બોલાવવામાં આવે છે. આજે અમે તમને શિવના જુડવા રૂપના દર્શન કરાવીએ છીએ.

મહાદેવના આ રૂપના દર્શન કેવળ કિસ્મત વાળા જ કરી શકે છે. મહાદેવનું આ મંદિર ગુજરાતમાં નર્મદા નદીના કિનારે સ્થિત છે. આ એક એવું મંદિર છે જ્યાં એક છતની નીચે મહાદેવ બે રૂપમાં દર્શન આપે છે. આ મંદિરમાં બે-બે નંદી પણ છે.

અને તે પણ સામે-સામે. કહેવાય છે જે કોઈ આ રૂપોના દર્શનનું સૌભાગ્ય મેળવે છે તો એની મોક્ષની પ્રાપ્તિ થઇ જાય છે. કહેવામાં આવે છે કે ધનેશ્વર મહાદેવની સ્થાપના સ્વયં કુબેરએ કરી હતી.

કહે છે કે રાવણ એ જયારે કુબેર પાસેથી સોનાની લંકા છીનવી લીધી હતી ત્યારે કુબેર એ એને પાછી મેળવવા માટે ભગવાન શિવની તપસ્યા કરી હતી. ભોલે ભંડારીના એ રૂપને ભક્ત ધનેશ્વરના નામથી પૂજાય છે.

ધનેશ્વર મહાદેવની સાથે જ વિરાજવા વાળા લુકેશ્વર મહાદેવ મંદિર પણ એટલું જ પ્રાચીન છે. મહાદેવ ના આ બંને રૂપો ધનેશ્વર અને લુકેશ્વર મહાદેવ ના ચમત્કાર ને એના દરબાર માં આવ્યા પછી જ મહેસુસ કરી શકાય છે. એક તરફ ભક્ત અહિયાં આવીને મહાદેવ ના અનોખા રૂપ ના દર્શન કરી ધન્ય થઇ જાય છે ,

તે ભક્તોનું માનવું છે કે અહિયાં આવવાથી કેવળ શાંતિ નહિ પરંતુ ભોલે ભંડારી સુખી જીવન નું વરદાન પણ આપે છે. એનાથી પણ મોટી વાત એ છે કે અહિયાં આવીને બ્રાહ્મણોને જમાડવાથી બધા પ્રકાર ના પિતૃદોષો થી ભક્તો ને છુટકારો મળી જાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer