વનરાજ અનુપમા ને હકીકત જણાવશે, અનુજના કોમા માં જતા જ પ્રોપર્ટી પર નજર નાખશે બરખા…

સ્ટાર પ્લસનો દમદાર શો અનુપમા આ દિવસોમાં ખૂબ જ ધમાલ મચાવી રહ્યો છે. રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અભિનીત અનુપમા સીરીયલમાં દિવસે ને દિવસે નવા નવા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. ટીઆરપી ની વાત કરીએ તો અનુપમા સીરીયલ નંબર વન પર છે.

ગયા એપિસોડમાં આપણે જોયું કે અનુજને હોશ આવતાજ બરખાના ચહેરાની રંગત ઉડી જાય છે. અનુજ કંઇક કહેવા જઈ રહ્યો હોય છે પરંતુ તેનાથી બોલી શકાતું નથી. ચાલો જોઈ લઈએ કે આગળના એપિસોડમાં શું આવ્યું.

કોમા માં જતો રહેશે અનુજ : અનુજ ભાનમાં આવી જાય છે. તે અનુપમા સાથે થોડીવાર વાત કરે છે અને અનુજ ની હાલત વધારે ખરાબ થવા લાગે છે. ડોક્ટર અનુજ નો ઈલાજ કરવાની કોશિશ કરે છે. ડોક્ટર બહાર જઈને અનુપમા ની કહે છે કે અનુજ કોમા માં જઈ શકે છે. કદાચ થોડા દિવસો માટે, મહિના માટે કે થોડા વર્ષો માટે પણ. જે સાંભળીને બરખા ખુશ થઈ જાય છે.

વનરાજની તબિયતમાં સુધારો આવતા તે અનુપમા ને મળવા આવે છે. જે જોઈને અનુપમાનો પારો ચડી જાય છે તે અનુપમાને કહે છે કે જે પણ કંઈ થયું તે સારું નથી થયું તેના જવાબમાં અનુપમા કહે છે કે ” આજે કંઈ પણ વધારે ન બોલશો નહીંતર મારો હાથ ઉઠી જશે ” મારા પતિ મોત સામે લડી રહ્યા છે પરંતુ કોઈ વાંધો નહીં તમે સોરી કહી દીધું એટલે બધું સારું થઈ જશે. કારણકે વનરાજ શાહ દિલગીર છે. તમે જ અનુજને પહાડી પાસે લઈ ગયા હતા. આજે અનુજની આ હાલતના જવાબદાર તમે જ છો.તમે અમારી દુનિયા બરબાદ કરી નાખી છે.

અનુજના કોમામાં ગયા બાદ બરખા ફરી પાછા પોતાના પ્લાન ચાલુ કરી દીધા છે. તે કહે છે કે મને અનુજ માટે ખૂબ જ ખરાબ ફીલ થાય છે પરંતુ આપણા માટે તે સારું છે. આપણને થોડો સમય મળી જશે. બીજી બાજુ તે અનુપમા અને વનરાજની વાતો સાંભળી લેશે. વનરાજ ને કશું યાદ ન આવતા તે રાહતના શ્વાસ લે છે.

વનરાજ સુરક્ષિત ઘરે પરત ફરશે સ્વસ્થ થયા પછી વનરાજ તેના ઘરે પહોંચે છે, જ્યાં નાની અનુ તેને તેના પિતા કેવા છે તે વિશે પૂછે છે. બીજી તરફ, વનરાજ બાને કહે છે કે તેને કંઈ યાદ નથી.ક્યાંક હકીકતમાં એણે અનુજને ધક્કો તો નથી દીધો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer