વિકી અને કેટરીના ના લગ્ન ના કડક નિયમો જાણીને ગુસ્સે થયા આ અભિનેતા, લગ્નમાં જવા માટે ના પાડી દીધી…

આ દિવસોમાં બોલિવૂડના કોરિડોરમાં કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ 9 ડિસેમ્બરે લગ્ન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં આવનાર મહેમાનો માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે અને આ નિયમોને જાણીને એક એક્ટરે લગ્નમાં જવા પહેલા ના પાડી દીધી હતી.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન 9 ડિસેમ્બરે છે. જેના માટે લગભગ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ રોયલ વેડિંગ માટે હોટલના સૌથી ખાસ અને મોંઘા રૂમ બુક કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિકી કૌશલ રાજા માન સિંહ સ્વીટમાં રહેશે અને કેટરીના કૈફ રાણી પદ્માવતી સ્વીટમાં રહેશે.

કેટરિના અને વિકી કૌશલ રાજસ્થાનના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં લગ્ન કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈમાં પણ ભવ્ય રિસેપ્શન પાર્ટી આપવામાં આવશે. જો કે, આ દરમિયાન, એક અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કંઈક લખ્યું છે, જે વાયરલ થઈ રહ્યું છે.

GAJRAJ Rao

ફિલ્મ ‘બધાઈ હો’ ફેમ એક્ટર ગજરાજ રાવે વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નમાં હાજરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા કહ્યું કે તે કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નમાં હાજરી આપશે નહીં. આ સાંભળીને તમને પણ નવાઈ લાગશે, પરંતુ તેની આ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી આ કારણે ઘણી લોકપ્રિય થઈ છે.

નોંધનીય છે કે કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નમાં મહેમાનોના મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ હોવાની વાત પણ સામે આવી હતી. લગ્નમાં હાજરી આપનાર મહેમાનો મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં અને લગ્ન સ્થળ પર કોઈને શૂટિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આને જોતા અભિનેતા ગજરાજ રાવે મજાકમાં એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે. ગજરાજ રાવે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે, જો મને સેલ્ફી લેવા નહીં દયો તો હું લગ્નમાં નથી આવી રહ્યો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer