ટીવી અભિનેત્રી આયેશા સિંહ, નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા અભિનીત ગુમ હૈ કિસીકે પ્યાર મેં અપકમિંગ ટ્વિસ્ટએ આ દિવસોમાં ધૂમ મચાવી છે.આ શોએ ટીઆરપી લિસ્ટમાં પણ પોતાનું સ્થાન બનાવવામાં કોઈ કસર છોડી નથી.જો કે, આ સીરીયલ રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અભિનીત ‘અનુપમા’ થી ઘણી હરીફાઈનો સામનો કરી રહી છે.
પરંતુ નિર્માતાઓ એ પણ મક્કમ છે કે તેઓ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં રોજેરોજ થોડો ટ્વિસ્ટ લાવશે. ગત દિવસે પણ સીરિયલમાં બતાવવામાં આવ્યું હતું કે સાઈ મદદ માટે ડીઆઈજી સરને બોલાવે છે.આ દરમિયાન, વિરાટ સાવી અને વિનાયકને સુવડાવાનોં પ્રયાસ કરે છે. સાવી અને વિરાટને એકસાથે જોઈને પત્રલેખા પરેશાન થઈ જાય છે.પરંતુ આયશા સિંહને સિરિયલમાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે.
આગળના એપિસોડમાં બતાવવામાં આવશે કે વિરાટ ઊંઘમાંથી ઉઠી જાય છે તે ખૂબ જ ખરાબ સપનું જોવે છે તેને સપનામાં જોયું હોય છે કે સાઈ સવીને આવીને લઈ જાય છે.વિરાટ ઘરમાં બધા જ લોકોને સવી વિશે પૂછે છે કે સવી કયા છેં. તેને મનમાં વિચાર આવે છે કે જગતાપ સવિને લઈને જતો રહ્યો હશે. પરંતુ તે દરમિયાન સાવી સીડી પરથી નીચે આવે છે અને કહે છે કે તે બાથરૂમમાં ગઈ હતી.
ડીઆઈજી સર વિરાટને ફોન કરીને પોલીસ સ્ટેશન બોલાવે છે. ત્યાં પહોંચતા જ સાઈ તેને સાવી વિશે સવાલ કરવા લાગે છે. બંને ડીઆઈજી સાહેબ સામે લડે છે.જ્યારે સાઈ તેને તેની પુત્રી માટે પૂછે છે, વિરાટ ડીઆઈજી સરને કહે છે, “આ મહિલાએ મારી પુત્રીને મારાથી છુપાવી અને વર્ષો સુધી તેને દૂર રાખી. હું મારી પુત્રી તેને ક્યારેય નહીં આપીશ.” બંને વચ્ચે ઝઘડો વધતો જાય છે.
વિરાટના ગયા પછી, ડીઆઈજી સર સાઈને સમજાવે છે કે તે પોતે તેને સપોર્ટ કરશે.ડીઆઈજી સર સાઈને વચન આપે છે કે પોલીસ સ્ટેશનમાં હાજર દરેક વ્યક્તિ તેની સાથે સારો વ્યવહાર કરશે. સવી ઊંઘમાંથી જાગે તે પહેલાં વિરાટ તેના રૂમને ખૂબ જ સુંદર રીતે સજાવે છે.પત્રલેખા તેના માટે રૂમમાં નાસ્તો લાવે છે, પરંતુ તે તેની તરફ જોતો પણ નથી.
રૂમની સજાવટ કર્યા પછી,વિરાટ પાખીને કહે છે કે તે સાવીને મોલમાં લઈ જશે. અમે ફનઝોન જઈશું, શોપિંગ કરીશું, વિરાટની એકસાઈટમેન્ટથી પાખીના ચહેરા પર ઉદાસી આવી જાય છેં. આ બધા પછી પત્રલેખા એકલતા અનુભવશે, તેને લાગશે કે સાવીના કારણે તેના અને વિરાટ વચ્ચેનું અંતર વધી શકે છે.
નીલ ભટ્ટ અને આયેશા સિંઘ અભિનીત ‘ગુમ મ હૈ કિસીકે પ્યાર મેં’ આગળ બતાવશે કે સાવી વારંવાર તેની આય પાસે જવાનો આગ્રહ રાખે છે. તે વિરાટને કહે છે, “તમે મને એકલી કેમ છોડી દીધી… મારે આઈ પાસે જવું છે.” આ વાતને લઈને એવું માનવામાં આવે છે કે વિરાટ તેને તેની માતા સાથે પરિચય કરાવવાને બદલે તેના મગજમાં ઝેર ભરશે..