જીવનની અંદર લગ્ન સંબંધનું ખૂબ જ મહત્વ હોય છે. તેથી જ વ્યક્તિ જ્યારે લગ્ન કરવા જઇ રહ્યો હોય ત્યારે તેના સાથી વિશે દરેક વસ્તુ જાણવાનો પ્રયત્ન કરતો હોય છે. ઘણી વખત કોઈ કારણોસર પતિ-પત્ની વચ્ચે ડિવોર્સ પણ થાય છે. જ્યાંથી લોકો ડિપ્રેશનમાં આવી જતા હોય છે.
આ પરિસ્થિતિની અંદર તમારી રાશિઓ ની સૌથી મોટી ભૂમિકા હોય છે. જેના પરથી તમે જાણી શકો છો કે તમારી જોડી સફળ રહેશે કે નહિ. તો ચાલો જાણીએ કઇ રાશિના લોકો સાથે તમારું મન મળે છે અને કઈ રાશિ ના લોકો સાથે સાથે લગ્ન કરવાથી છુટાછેડા થવાની શક્યતા વધી જાય છે.
કુંભ અને તુલા : કુંભ તથા તુલા રાશિ ના લોકો ના લગ્ન પણ લાંબો સમય માટે ટકી નહીં શકે. લગ્નના થોડા દિવસો સુધી બંને વચ્ચે ખૂબ જ પ્રેમ થશે પરંતુ સમય જતા બન્ને વચ્ચે નફરત ઉત્પન્ન થશે. બન્ને વચ્ચે અમુક અશુભ ઘટનાઓ થવાથી બંને વચ્ચે છુટાછેડા થવા શક્ય છે. તેથી તુલા અને કુંભ રાશિના લોકોએ એકબીજા સાથે લગ્ન કરવા ન જોઈએ.
કન્યા અને વૃષભ : આ બંન્ને રાશિના લોકોનું સાથે રહેવું દુર્ભાગ્ય ને આમંત્રણ આપવા જેવું થશે. જો આ બંને વ્યક્તિઓ એકબીજા સાથે લગ્ન કરશે તો તેનું ખરાબ કિસ્મત તેનો પીછો નહીં છોડે. આ બંને લોકો ભેગા થશે તો તેના જીવનની અંદર ઘણા બધા બદલાવ આવશે તથા તેનું સુખ છીનવાઈ જશે.તેથી આ બંનેના લોકોએ એકબીજા સાથે લગ્ન કરવાનું ટાળવું જોઈએ.
મેષ અને મીન : આ બંન્ને રાશિના લોકો ના વિચારો ની અંદર જમીન-આસમાન જેટલું અંતર હોય છે. આ બંને વ્યક્તિઓ એકબીજા સાથે વધારે સમય માટે રહી શકતા નથી. આ બંને વ્યક્તિઓ ના વિચાર જ તેમનો સૌથી મોટો દુશ્મન હોય છે.
આ બંને વ્યક્તિ ભેગા થશે તો તેમની વચ્ચે માનસિક ભેદભાવ એટલો બધો વધી જશે કે ગભરામણ થવા લાગશે. ઘણી વખત આ પરિસ્થિતિ છૂટાછેડા સુધી પહોંચી જાય છે. તેથી તમારી સલાહ પ્રમાણે આ બંને રાશિના લોકો એ એકબીજા સાથે લગ્ન ન કરવા જોઈએ.
સિંહ અને સિંહ : એક સિંહ રાશિના વ્યક્તિ બીજા સિંહ રાશિના વ્યક્તિ સાથે લગ્નમાં જોડાશે તો તે બંને વચ્ચે ભવિષ્યમાં છુટાછેડા થવા સંભવિત છે. આપણે સૌ જાણીએ છીએ કે જેવી રીતે એક જંગલની અંદર બે સિંહ ક્યારે પણ શાંતિથી રહી નથી શકતા.
તેવી જ રીતે બે સિંહ રાશિના લોકો એકબીજા સાથે સાથે રહી શકે. કારણ કે બંને રાશિના લોકોમાં ખૂબ જ મને ગુસ્સો જલ્દી આવી જતો હોય છે. બન્ને એક બીજાને સહન કરી શકશે નહીં. આવી આક્રમક પરિસ્થિતિની અંદર તેઓ લાંબો સમય સુધી એક બીજા સાથે જીવન જીવી નહીં શકે.