અધિક કરી રહ્યો છે અનુજના અંતિમ સંસ્કાર ની તૈયારી, અનુપમા હવે શું કરશે..?

અનુપમા સિરિયલમાં આજકાલ ખૂબ જ ભાવુક વાતાવરણ જોવા મળી રહ્યું છે. વનરાજ અને અનુજ હોસ્પિટલમાં છે જ્યારે અનુજ ની હાલત ખૂબ જ ગંભીર છે અને તેની મગજની સર્જરી કરાવવાનું ડોક્ટરે કીધું છે.

જ્યારે અનુપમાને ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે અનુજને મગજની સર્જરી કરાવી પડશે ત્યારે અનુપમા ખૂબ જ ભાવુક થઈ જાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે અનુજ જલ્દીથી સારો થઈ જાય.

બીજી બાજુ અધિક વિચારી રહ્યો છે કે અનુજ અને વનરાજ સાથે જે પણ બન્યું છે તેની પાછળ બરખાનો હાથ છે. અંકુશ ઈચ્છે છે કે અનુજ જલદી સાજો થઈ જાય કારણ કે તે તેનો ભાઈ છે. આ સિવાય અંકુશને બરખા પર શંકા છે તેથી તેણે વિચાર્યું કે જો બરખા આની પાછળ હશે તો તે તેને નહીં છોડે.

જ્યાં એક બાજુ અનુજના મગજની સર્જરી ચાલી રહી છે ત્યારે અધિક વિચારી રહ્યો છે કે અનુજના ઈલેક્ટ્રીકથી અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અત્યારે અંકુશ અધિક ને લડે છે અને કહે છે કે તે આ પ્રકારની વાતો બંધ કરે.. અનુજ તેનો ભાઈ છે.

વનરાજે કબૂલાત કરી: વનરાજને ફરી હોશ આવી ગયો અને તેણે અનુપમાને આખી હકીકત જણાવી. તે કહે છે કે મેં અનુજને ખાડામાં ધકેલી દીધો હતો. આ સાંભળીને અનુપમા અને પરિવારના બાકીના લોકો આઘાતમાં છે.તે જ સમયે, બા, અનુપમાને ભાવનાત્મક રીતે બ્લેકમેલ કરે છે કે તેણીએ વનરાજની આ હકીકત છુપાવવી જોઈએ અને તેની સામે કોઈ પગલાં લેવા જોઈએ નહીં.

Leave a reply:

Your email address will not be published.

Site Footer