મહાભારતના આ યોદ્ધાઓએ ભગવાન શ્રી કૃષ્ણને કહી હતી તેમની છેલ્લી ઇચ્છાઓ, જે ખુબ જ કઠીન હતી છતાં…..

મહાભારત એક એવું મહાકાવ્ય છે કે જેના ઘણા બધા તથ્યો વિશે આજે પણ લોકો નથી જાણતા. તેની પાછળ સૌથી મોટુ કારણ એ છે કે લોકો આ મહાકાવ્ય ને વાચતા નથી ફક્ત તેની વાર્તાઓ સાંભળે છે અથવા જોવે છે. અને એ પણ અધુરી..

આજે અમે મહાભારતના કેટલાક યોધ્ધાઓ વિશે જણાવીશું જેમની અંતિમ ઈચ્છાઓ ખુબજ કઠીન હતી. વિદુર :- વિદુર મહાભારતમાં રાજનીતિજ્ઞ ના રૂપમાં ઓળખાતા હતા.

યુધ્ધના સમયે જયારે વિદુર ભગવાન શ્રી કૃષ્ણને મળવા ગયા અને તેણે દુખી થઈને કહ્યું કે હે પ્રભુ મને યુદ્ધ ના કારણે ખુબ જ કષ્ટ થઇ રહ્યું છે. તેથી તેમણે ભગવાન શ્રી કુષ્ણ ને કહ્યું કે મારા મૃત્યુ પછી મારા શરીરને ન તો દફનાવવું કે ન તો બાળવું.

બસ તમારા સુદર્શન ચક્ર માં લીન કરી લેજો. ઘટોત્કચ :- ઘટોત્કચ એ ભીમનો અને હિડિંબાનો પુત્ર હતો. અને તે પણ ભીમની જેમ ખુબ જ શક્તિશાળી યોદ્ધા હતો. ઘટોત્કચએ ભગવાન કૃષ્ણ ને પ્રાર્થના કરી હતી કે તેના મૃત શરીર ને ન ભૂમિ માં સમર્પિત કરવું કે ન અગ્નિ માં અથવા ન જળમાં.

પરંતુ મારા મૃત શરીરને હવા માં વિલીન કરી દેજો. કર્ણ :- કર્ણ એ પોતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ ની સામે કહ્યું હતું કે તેનો અંતિમ સંસ્કાર એવી જગ્યાએ થવો જોઈએ જ્યાં કોઈ પાપ ન થયું હોય.

કર્ણ એક ખુબ જ શુરવીર અને દાનવીર યોદ્ધા હતો અને તેની અંતિમ ઈચ્છા પણ ખુબ જ કઠીન હતી. કર્ણ દાનવીર હોવાથી તે એવું ઈચ્છતો હતો કે તેના અંતિમ સંકર શુદ્ધ અને પવિત્ર જગ્યા પર કરવામાં આવે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer