એક એવું ચમત્કારી કમળ જેમાંથી ટપકે છે અમૃતરસ, જાણો બ્રહ્મ કમળ વિશે..

પ્રકૃતિ એ આ બ્રહ્માંડમાં ઘણી એવી ચીજો બનાવી છે જે ખુબ સુંદર છે દરેક ચીજની સુંદરતા અને એના ગુણ અલગ અલગ હોય છે પછી તે નદીઓ હોય કે તળાવ, ફૂલ હોય કે ઝાડ-છોડ, ઝરણું હોય કે સમુદ્ર. આ બધામાં જોવા લાયક આકર્ષણ નથી પરંતુ એમાં એવા એવા ગુણ છે કે લોકો આજે પણ એ અદભુત ગુણો પર રીસર્ચ કરી રહ્યા છે. પરંતુ એક એવું ફૂલ છે જે દુર્લભ છે અને ખુબ જ ચમત્કારિક બ્રહ્મ કમળનું ફૂલ એના વિશે તમારે જરૂર વાંચવું જોઈએ. આ ગુણોમાં અમુલ એવી પણ વસ્તુ છે જે માનવ હિતના કામમાં આવે છે. અમુક કુદરતી વસ્તુમાં દેવીની શક્તિ હોય છે જેને સામાન્ય રીતે લોકો માનતા નથી પરંતુ આ સત્ય ઘટના છે. એ વસ્તુમાં એક છે બ્રહ્મ કમળનું ફૂલ જેમાં અઢળક ગુણો મેળવવામાં આવે છે.

ખુબ જ ચમત્કારિક બ્રહ્મ કમળનું ફૂલ :- બ્રહ્મ કમળ એક સફેદ રંગનું અદભુત દેખાતું કમળનું ફૂલ છે. જેને ખુદ સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી નું રૂપ માનવામાં આવે છે. હિમાલયની ઉંચાઈ પર મળવા વાળા આ ફૂલનું પૌરાણિક મહત્વ છે. આ ફૂલની વિશે એક માન્યતા છે કે વ્યક્તિઓની ઈચ્છાઓને પૂરી કરે છેઆ કમળ સફેદ રંગનું હોય છે જે જોવામાં અસલમાં ખુબ આકર્ષક દેખાય છે અને એના વિશે વિસ્તારમાં પૌરાણિક કથાઓમાં પણ લખેલું છે.

આ કમળથી સંબંધિત એક ખુબ પ્રસિદ્ધ માન્યતા છે કે જે પણ વ્યક્તિ આ ફૂલને જોઈ લે છે તો એની દરેક ઈચ્છા પૂરી થઇ જાય છે. આ ફૂલ મોડી રાતે ખીલે છે અને જેનો ખીલવાનો સમય અમુક કલાકો સુધી રહે છે. બ્રહ્મ કમળનું આ ફૂલ વર્ષમાં એક વાર જ ખીલે છે અને એના દર્શન ખુબ જ દુલર્ભ હોય છે.

બ્રહ્મ કમળની કહાની :- બ્રહ્મ કમળને લઈને એક પૌરાણિક માન્યતા એ છે કે જે કમળ પર સૃષ્ટિના રચયિતા ખુદ બ્રહ્મા વિરાજમાન છે તે જ બ્રહ્મ કમળ છે. આની રચયિતા બ્રહ્માજી એ ઉત્પત્તિ કરી હતી. આની બીજી પૌરાણિક કથા એ છે કે જયારે પાંડવ જંગલમાં વનવાસ કાપી રહ્યા હતા ત્યારે દ્રોપદી પણ એના જંગલમાં ગઈ હતી. દ્રોપદી, કૌરવો દ્વારા થયેલા એમના અપમાનને ભૂલી ન હતી અને એની સાથે જ વનમાં યાતનાઓ પણ એને માનસિક આપી રહી હતી. પરંતુ જયારે એને પાણીની લહેરમાં વહેતા સુંદર કમળને જોયું તો એના બધા દુખાવા ખતમ થઇ ગયા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer