દુધીના આ ફાયદાઓ તમે ક્યારેય નહિ સાંભળ્યા હોય… જરૂર જાણો…

શાકભાજી તરીકે દૂધી નો ઉપયોગ વિપુલ પ્રમાણ માં થાય છે. કેટલીક દૂધી ગોળ તથા કંઈક લાંબી હોય છે. આ જાતની દૂધીની છાલ જ્યારે કાચી હોય ત્યારે લીલા રંગની તથા પાક્યા પછી સફેદ, થોડી લીલાશ પડતી હોય છે. તેનો ગર્ભ રાતા રંગનો હોય છે.

આ બધી જાતોમાં જે જાત સફેદ, નાજુક, તાજી, મીઠી અને રેસા વગરની હોય છે, તે ઉત્તમ છે. દૂધી ગુણ માં પૌષ્ટિક શીતળ પીત કફનાશક વીર્ય વર્ધક અને ગર્ભ પૌષ્ટિક છે. દૂધી મલ સ્તંભક હોઈ મળ  સાફ કરે છે. પિત્ત તથા કફ નો નાશ કરે છે. હૃદય ને મજબૂત કરે છે. ધાતુ નો વધારો કરે છે.

મોટી દૂધી નો વેલો મધુર, શીતળ તથા તાકાત વધારનાર છે. પિત્ત નો નાશ કરે છે. પાકેલી દૂધીને બદામ ના તેલ સાથે પીવાથી છાતીમાં દરદ તથા ગરમ શરદી મટે છે. એનાથી તરસ પણ મટે છે. યકૃતની ગરમી મટાડે છે. પિત્ત નો બગાડ કાઢી નાખે છે.ઘણા લોકો દૂધીનો મુરબ્બો પણ બનાવે છે. તે સ્વાદિષ્ટ અને મગજને શાંત કરનાર છે.

તેનાથી રક્ત શુદ્ધિ પણ થાય છે. દૂધી ના બી દવામાં વપરાય છે. એનાથી શરીરમાં મેદ વધે છે. ફેફસાંમાંથી પડતાં લોહીને અટકાવે છે. બેચેનીમાં ઘટાડો કરે છે. પીસેલી દુધીનો લેપ માથા પર લગાડતાં માથાનું દર્દ મટે છે. દૂધીનું પાણી કાનમાં ટપકાવવાથી કાનનું દર્દ મટે છે. એના પાણીના કોગળા કરતા દાંતનું દરદ પણ હળવું બને છે.

દુધી નો લેપ પેટ, યકૃત, મૂત્રપિંડ તથા આંતરડાં ઉપર કરવાથી તે ભાગ માં થતી બળતરા મટે છે.દૂધી શરીરને ઠંડક આપે છે તેના જ્યુસમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે. આ કારણે શરીર પરસેવા, પેશાબ કે બીજી રીતે પાણી ગુમાવ્યુ હોય તે શરીરને પાછુ મળી જાય છે અને શરીરમાં ઠંડક જળવાઇ રહે છે.

છીણેલી દૂધી નું ખમણ પાંચ તોલા, દૂધનો માવો અઢી તોલા, માખણ એક તોલો એ બધાને ઘીમાં પકડાવી અને ધોળી ચણોઠી, ચોપચીની ધોળી, માલકાંગણી, અશ્વગંધા, ઓથમી જીરું, કાળી તુલસીનું મૂળ અને ગળો સત્વ એ દરેક પા તોલો, સાકર પોણો શેર અને ઘી પંદર તોલા નાખી નાના લાડવા બનાવવા.

દૂધી ને બાફી અને શાકભાજી ઓછા મસાલાથી બનાવે છે, તેને ખાવાથી તાણ ઘટાડવામાં અને પિત્તને બહાર કાઢવામાં ઉપયોગી દવા સાબિત થાય છે. જો કોઈ પણ ખોરાકમાં કોલેસ્ટરોલ નથી, તો તે હૃદય માટે ખૂબ સારું છે. દૂધી પણ આમાંથી એક ખોરાક છે.

આ ઉપરાંત ફાઈબર, એન્ટી-ક્સિડેન્ટ અને વિટામિન-સી પણ તેમાં જોવા મળે છે, જે હૃદય માટે ખૂબ ફાયદાકારક છે. તેમજ બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ છે. દૂધીના ગર્ભમાંથી તાજું પાણી કાઢી તેનાથી પા ભાગ તલનું તેલ, બદામનું તેલ સાથે પકવવું. પાણી તમામ બળી જાય ત્યારે તેલ ઉતારી લેવું.

તેલનો ઉપયોગ ઊંઘ લાવવા, ઘેલછા મટાડવા, ગરમ ખાંસી નરમ પાડવા માટે થાય છે. કાનમાં ટપકાવવાથી કાનના ગરમ દર્દો મટે છે અને સૂંઘવાથી શરીરમાં મગજ તર્ક શક્તિ વધારે છે. દૂધીનાં ફૂલનું પાણી મગજની ગરમી તથા માથાનું દરદ મટાડે છે.

દૂધી ની બાળેલી રાખો છાંટવાથી જખમ માંથી વહી જતાં લોહીને અટકાવે છે. દૂધી થી ખાવાની રુચિ વધારે છે. એનો ઉપયોગ જીરું, લવિંગ, મરચાં, રાઈ, મીઠું વગેરે સાથે લેવાથી ગુણવત્તા નીવડે છે. દૂધી ના બી , દાડમ ના સૂકા બી, ખડસલીઓ, ધન, આંબા હળદર, આસોપાલવ ના બીજ, ગંધક, ટેકણ, સિંધવ અને હિંગળો એ દરેક પા તોલા જેટલું લઈ તેનું ચૂર્ણ બનાવી કુઠારા ના રસમાં એવી ગોળી બનાવી લેવી.

આ ગોળી ના સેવનથી કૃમી, કોઢ, ઉંદરી, રક્તદોષ વગેરે વ્યાધિ મટે છે.દૂધી  શરીરમાં રહેલા નકામા તત્વોને ખેંચીને શરીરની બહાર ખેંચી કાઢે છે. પેશાબ માર્ગમાં કોઈ સમસ્યા હોય તો તેમાં પણ દૂધીના જ્યુસને કારણે લાભ મળે છે. તેમાં લીંબુનો રસ ઉમેરવાથી વધુ ફાયદો મળે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer