કોરોના નો કહેર ઓછો થતા અને લોકડાઉન ખુલતાની સાથે જ આ જગ્યાએ ગુજરાતીઓ ઉમટી પડ્યા ફરવા, ટોલબુથ પર વાહનોની 5 કિલોમીટર લાંબી લાઈનો,

કોરોના કેસ ઘટ્યા જેથી લોકડાઉન અનલોક થતાંજ રાજ્યનું ગિરિમથક એટલે સાપુતારા ખાતે પ્રવાસીઓથી ઉભરાય જતા ઘણા બધા વાહનોના ખડકલા સાથે ટોલબુથ પર વાહનોની 5 કિમીથી પણ ભારે લાંબી લાઈનો લાગતા ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

કોરોના મહામારી વચ્ચે ઉભી થયેલી લોકડાઉન ની પરિસ્થિતિ બાદ રાજ્યમાં અનલોક થતા ગિરિમથક સાપુતારા ખાતે શનિ રવિવાર ના વિકેન્ડ માં પ્રવાસીઓનો મોટી ભીડ ઉમટી પડતા ઘણા સમય પછી નાની મોટી હોટલો હાઉસફુલના પાટિયા ઝૂલી ઉઠ્યા હતા.1લી જૂને શરૂઆત થયેલ વરસાદને પગલે ચારેતરફ ડુંગરો હરિયાળીથી છવાય જતા દિવસભર ગાઢ ધૂમમ્સ શહેરીજનોને આકર્ષી રહ્યા હતા.

પાર્કિંગ,મ્યુઝિયમ,બોટિંગ,સનસેટ,સનરાઈઝ,ટેબલ પોઇન્ટ વિસ્તારોમાં વાહનોનો ખડકલો થતા વાહન ચાલકોને વાહન હંકારવા ભારે કસરત કરવી પડી હતી.

સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલા એક માત્ર એવુ હિલસ્ટેશન છે, જે આશરે 1000 મીટર જેટલી ઉંચાઈ પર આવેલુ છે. અહી ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે. ગુજરાતનુ આ હિલસ્ટેશન વીકએંડ ગેટવે તરીકે જાણીતુ છે. તેથી વર્તમાનમાં સરકારે પણ આ હિલસ્ટેશનને વધુ ને વધુ વિકસાવવાના પ્રયત્નો આરંભી દીધા છે.

સાપુતારા તળાવ પર નૌકાવિહાર એ સાપુતારામાં એક શ્રેષ્ઠ પ્રવૃત્તિ છે. લીલીછમ લીલોતરી અને પ્રાચીન સૌન્દર્યથી ઘેરાયેલું આ સુંદર સરોવર પ્રવાસીઓ અને સ્થાનિકો માટે એકસરખું લોકપ્રિય સ્થળ છે. આ તળાવની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય એ સવારનો છે જ્યારે તમે સૂર્યોદયની સુંદરતામાં ભીંજવી શકો છો અને પક્ષીઓની કિરણોત્સર્ગનો આનંદ માણી શકો છો.

અહી નૌકાવિહાર, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈંટ, સનરાઈઝ પોઈંટ અને ઋતુભરા વિદ્યાલય વગેરે જોવાલાયક છે.તમે કાં તો નૌકાવિહારનો આનંદ માણી શકો છો અથવા ફક્ત આ સ્થાનની વહાલની સુંદરતાને વખાણવા માટે જઇ શકો છો. તમારા પરિવાર અને પ્રિયજનો સાથે થોડો સમય ગાળવા માટે આ એક આદર્શ સ્થળ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer