કાવ્યાના બદલાયેલા રંગ પાછળ એવું તે કયું મોટું રાજ છુપાયેલું છે? શું અનુપમા ની સામે આવશે વનરાજની હકીકત?

અનુપમા સિરિયલમાં આ દિવસોમા ઘણા બધા ટ્વિસ્ટ જોવા મળ્યા છે. આજના એપિસોડ ની વાત કરીએ તો જ્યારે નાનીઅનુ અનુપમા ને આપેલા ફોટા જોવે છે ત્યારે તે તેના આખા પરિવારને યાદ કરે છે. ત્યારબાદ અનુપમા સ્ટ્રોંગ થઈ જાય છે અને અનુજ માટે લડી લેવાનું નક્કી કરે છે.

અધિક પંખીને પૂછે છે કે શું વનરાજ અંકલ અનુજને મળ્યા તે પહેલા ગુસ્સે હતા??? પાંખી આ સાંભળીને અધિક ને પૂછે છે કે શું તું મારા પપ્પા પર શક કરે છે?? આ વિશે અધિક વધારે વાત કરતો નથી અને કહે છે કે હું એટલું ઇચ્છું છું કે અનુજ સારો થઇ થઈ જાય.. બીજી બાજુ પાંખી પણ અનુજ ના સારા થવાની રાહ જોઈ રહી છે અને ચિંતા કરી રહી છે કે અનુજ હોશ માંથી બહાર નહીં આવે તો?

અનુજની તબિયત લથડી રહી છે. ત્યારે લીલા આવે છે અને અનુપમા સાથે વાત કરે છે.બા એ સ્પષ્ટતા કરી કે તે અહીં તેને ટોણો મારવા નથી આવી. લીલા કહે છે કે ખીણની જગ્યા પર જે કંઈ થયું તેમાં વનરાજનો વાંક નથી. બા કહે છે કે કોઈપણ માતા તેના બાળકને દુઃખી થવા દે નહીં. લીલા અનુપમાને વિનંતી કરે છે કે કાવ્યાએ કેસ દાખલ કર્યો છે. લીલા કહે છે કે તે તેની સાથે સંબંધ તોડવા માંગતી હતી પરંતુ આજે તે વનરાજની ખાતર તેની સાથે આજીજી કરી રહી છે.લીલા અનુપમા સામે હાથ જોડીને કહે છે કે વનરાજને જેલમાં ન મોકલે..લીલા રડે છે અને અનુપમા તેને આરામ કરવા કહે છે.

ત્યારબાદ બરખા અનુપમા ને મળવા આવે છે અને તેને સાંત્વના આપે છે. બરખા અનુપમ અને પૂછે છે કે અનુજને આ નાની હોસ્પિટલમાં કેમ લાવવામાં આવ્યો?? ઈમરજન્સીમાં અનુજને અહીં લાવ્યા તે બરોબર છે પરંતુ સર્જરી માટે તેને મોટી હોસ્પિટલમાં લઈ જવાનો હતો.. ત્યારે અનુપમા બરખા ને કહે છે કે હોસ્પિટલમાં આ વિશે વાત કરવાનો સમય નથી..

ડૉક્ટર અનુપમા અને અન્ય લોકોને જણાવે છે કે અનુજની સર્જરી સફળ છે, પરંતુ તેઓ જલ્દીથી ભાનમાં આવી જવા જોઈએ. કાવ્યાએ અનુપમાને સાથ આપે છે. અનુપમા ડૉક્ટરને પૂછે છે કે સર્જરી સફળ થશે કે નહીં.??? ડૉક્ટર અનુપમાને કહે છે કે દર્દીની સાચી સ્થિતિ ઓપરેશન થિયેટરની બહાર આવ્યા પછી જ જાણી શકાશે. અનુજને જોઈને અનુપમા ભાવુક થઈ જાય છે. એટલામાં જ અનુનો વીડિયો કોલ આવે છે અને તે અનુપમા અને અનુજને જોવાની જીદ કરે છે.અનુએ અનુપમાને અનુજને તેના માટે બનાવેલ બ્રેસલેટ પહેરાવવાનું કહ્યું.અને તે અનુપમાને ચિંતા ન કરવા કહે છે.

ત્યાર પછી કાવ્યા અનુપમાને પૂછે છે કે તને શું લાગે છે કે આ એકસીડન્ટ પાછળ વનરાજનો હાથ છે?? ત્યારે અનુપમા ને વનરાજે એના મોઢે કબૂલ્યું હતું તે યાદ આવે છે. અનુપમાં નક્કી કરે છે કે જ્યાં સુધી તે પૂરેપૂરી સચ્ચાઈ નહીં શોધી કાઢે ત્યાં સુધી તે કોઈને કંઈ જ કહેશે નહીં. અનુપમા મનોમન નક્કી કરે છે કે વનરાજે તેને જવાબ આપવો જ પડશે કે તેણે અનુજને ખીણ પાસે કેમ બોલાવ્યો હતો???

Leave a reply:

Your email address will not be published.

Site Footer