ગુજરાતના ખેડૂતો ને ટૂંક સમયમાં જ મળશે સારા સમાચાર, ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ખેડૂતોની સહાય વધારવાની વિચારણા, જાણો પ્લાન…

ગુજરાતમાં આવેલા વિનાશકારી તૌક્તે વાવાઝોડા અને ત્યારબાદ, અતિવૃષ્ટિ જેવા વરસાદે સુરાષ્ટ્ર,ગુજરાતના કેટલાય ખેડૂતોના ઉભા પાકને નુકશાન થવાથી ખેડૂત સરકાર સામે કોઈ મોટી રાહત/સહાયની આશા રાખે છે ત્યારે, સરકાર પણ ખેડૂતોની હોય તેમ આ માટે મોટો નિર્ણય કરી શકે છે.

સહાયમાં મોટો વધારો વીઘાદીઠ આપી સરકાર ખેડૂતોના ચહેરા પર હાસ્ય જોવા ઉત્સુક છે.પણ, આ માટે કેટલી સહાય આપવી તેનો નિર્ણય તો મુખ્યમંત્રી જ કરશે. હાલમાં ખેડૂતોને SDRF અંતર્ગત સહાય ચુકવાય છે.આ સહાયમાં ખેડૂતોને વિધાદીઠ રૂપિયા 6,800 ની સહાય મળે છે.

આગામી વિધાનસભા સત્ર બાદ જ સહાય પેકેજની જાહેરાત થઈ શકે છે અને તેમાં પાક નુકસાન સહાયની રકમમાં વિઘા દીઠ રૂ.10થી 15 હજાર વધી શકવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.વિઘા દીઠ રૂ.20 હજારની સહાય બાબતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નિર્ણય લેશે.

સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા ને લગતા વિસ્તારોમાં તો તૌક્તે અને ત્યાર બાદ પાછોતરા વરસાદે ભારે તબાહી મચાવી છે.ખાસ કરીને, જામનગર, જૂનાગઢ,ગીર-સોમનાથ અને રાજકોટ જીલ્લાઓ,ઉપરાંત તૌક્તે એ ગીર-સોમનાથ,અમરેલી જીલ્લાની ખેતીના પાકને લગભગ બરબાદ કરી નાખ્યો હતો. તત્કાલીન રૂપાણી સરકારે કેટલીક સહાય અને સર્વે સુધા કરાવ્યા હતા.

બાદમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વેળા જ ગુજરાતમાં નવા મુખ્ય મંત્રી આવ્યા.અને રાજ્યના નવા સુકાની ભુપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા પહેલા જ અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો.હવે જ્યારે સહાય પેકેજ વધારવા માટે ખેડૂતોની માંગ ઉઠી છે ત્યારે, સરકાર, ખેડૂતોના પક્ષમાં હિતકારી નિર્ણય કરી શકે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer