જાણો ભગવાન શ્રી કૃષ્ણના માથાના મુગટ પર રહેલ મોરપિચ્છનું રહસ્ય

ભગવાન શ્રી કૃષ્ણ નું નામ સાંભળતા જ તેની કાળી ઘેલી વાતો અને ભગવાન શ્રી કૃષ્ણ ની લીલાઓ દરેક વ્યક્તિના માનસ પટ પર વિખેરાઈ જાય છે. આંખ બંધ કરતા જ ભગવાન શ્રી કૃષ્ણ નું સ્વરૂપ આપની આંખોની સામે ઘુમવા લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણની છબી દેખાય છે હાથમાં વાસળી પીળા પીતાંબર અને માથા પર મુગટ અને માથા ના મુગટમાં રહેલ મોરપંખ ખાસ દરેક લોકોનું ધ્યાન કેન્દ્રિત કરે છે.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા પોતાના મુગટ માં મોરપંખ શા માટે રાખે છે? ભગવાન કૃષ્ણના મુકુટમાં જે મોરપંખ છે તેની પાછળ ઘણી માન્યતાઓ છે. કહેવું છે કે આ મોરપંખથી આટલે લાગણી હતી કે તેને તેમના શ્રૃંગારનો ભાગ બનાવી લીધું હતું. પ્રભુના દરેક સ્વરૂપમાં એક વસ્તુ જે સમાન છે તે આ મોરપંખ જ છે. આવો જાણીએ મોરમુકુટ ધારણ કરવા પાછળ કઈ-કઈ માન્યતાઓ છે.

મોરની પવિત્રતાથી પ્રભાવિત પ્રભુ બધા સંસારમાં મોર એક માત્ર એવું પ્રાણી છે જે તેમના સંપૂર્ણ જીવનમાં બ્રહ્મચર્ય વ્રતનો પાલન કરે છે. મોરનીનો ગર્ભધારણ પણ મોરંના આંસૂઓને પીઈને હોય છે. તેથી આટલા પવિત્ર પંખીના પંખને પોતે ભગવાન શ્રીકૃષ્ણ તેમના માથા પર ધારણ કરે છે. આમ ભગવાન શ્રી કૃષ્ણ એ મોરપંખ ને પોતાના માથા પર સજાવી તેને સમ્માન આપ્યું છે. અને એક ઉચ્ચ સ્થાન તેમજ તેનો આદર કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer