મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર અભિનેત્રી એશ્વર્યા ઘરમાં રહે છે સામાન્ય પુત્રવધુની જેમ, કરે છે આ કામ

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય ના લગ્નને 14 વર્ષ થયા છે. બંનેએ 20 એપ્રિલે વર્ષ 2007 માં લગ્ન કર્યા હતા. આજે 14 વર્ષ પછી પણ બંનેનો પ્રેમ યુવાન રહ્યો છે. બંનેની ગણતરી બોલીવુડના સૌથી સુંદર કપલમાં થાય છે. જો તે બંને એક સાથે ક્યાંય પણ જાય છે તો તે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. બંને એકબીજાને પરફેકટલી કોમ્પ્લીમેન્ટ કરે છે.

ઘણા ઇન્ટરવ્યુ દરમિયાન અભિષેક તેની પત્નીની પ્રશંસા કરતા જોવા મળ્યા છે. આ સાથે અભિષેક ગર્વ સાથે કહે છે કે એશ્વર્યા તેની ‘બેટર હાફ’ નહીં પણ ‘બેસ્ટ હાફ’ છે. આ સાથે જ એશ્વર્યા પણ દરેક પ્રસંગે અભિષેકની પ્રશંસા કરતી જોવા મળી છે. આ બંને યુગલોએ પણ દરેક સામાન્ય માણસની જેમ તેમના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ જોયા છે.

બંનેને સાથે જોઇને અને લગ્નના આટલા વર્ષો પછી પણ મન મિટાવ ના આવવાના કારણે આ બંનેને બોલિવૂડનો આઇડોલ કપલ પણ માનવામાં આવે છે. ભલે એશે મિસ વર્લ્ડનો ખિતાબ હાંસલ કર્યો, બચ્ચન પરિવારની પુત્રવધૂ છે. પરંતુ ઘરે તે એક સામાન્ય પુત્રવધૂની જેમ જ રહે છે. તેણી તેની પુત્રી આરાધ્યાની સંભાળ રાખે છે, તેના ખાવા પીવાની સંભાળ રાખે છે.

આ સાથે, એશ્વર્યા અભિષેક બચ્ચનને તેના હાથથી બનાવેલું ભોજન ખવડાવે છે. એશ્વર્યા તેના પતિને બનાવેલા પરાઠા ખવડાવે છે. આ વાત ખુદ એશ્વર્યાએ કપિલ શર્મા શોમાં જાહેર કરી હતી. વર્ષ 2015 માં તેની ફિલ્મ જઝબાના પ્રમોશન દરમિયાન એશ્વર્યા કપિલ શર્માના શોમાં ઇરફાન ખાન સાથે પહોંચી હતી. આ દરમિયાન કપિલે એશ સાથે એવો સવાલ ઉઠાવ્યો હતો. તેનો જવાબ સાંભળીને ત્યાંના બધા લોકો હસવા લાગ્યા.

આ સાથે એશ્વર્યા તેના સ્પોટ રિસ્પોન્સ માટે પણ જાણીતી છે. આંતરરાષ્ટ્રીય ચેટ શોના હોસ્ટ ડેવિડ લેટરમેન નું પણ બોલવાનું બંધ કરી દીધું હતું. મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા પછી એશ્વર્યાને ડેવિડ લેટરમેનના શોમાં બોલાવવામાં આવી હતી. આ શોમાં ડેવિડ લેટરમેને તેના પ્રશ્નો સાથે એશ્વર્યાને રોસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એશ્વર્યાએ તેમને જોરદાર જવાબ આપ્યો હતો.

ડેવિડ એ એશ્વર્યાને પૂછ્યું હતું કે, ભારતમાં બાળકો મોટા થયા પછી પણ શું તેમણે તેના માતાપિતા સાથે રહેવું પડે છે? એશ તેના સવાલથી સમજી ગઈ કે તે ભારતની સંસ્કૃતિની મજાક ઉડાવી રહ્યો છે. એશે તેમને વિચારપૂર્વક જવાબ આપ્યો અને કહ્યું, હા, બાળકોનું ભારતમાં મોટા થયા પછી પણ તેમના માતાપિતા સાથે એક જ ઘરમાં રહેવું ખૂબ સામાન્ય બાબત છે કારણ કે આપણે રાત્રિભોજન પર તેમના માતાપિતાને મળવા માટે કોઈ અપોઈમેન્ટ લેવાની જરૂર નથી. .

Leave a reply:

Your email address will not be published.

Site Footer