આ શાલિગ્રામ ભગવાનના મંદિરમાં પૂજા કરવાથી 21 પેઢીઓને મળે છે મુક્તિ, જે નેપાળમાં 12300 ફીટ ઊંચા હિમાલયના પહાડ પર આવેલું છે..

આપણા દેશમાં ઘણા મંદિરો આવેલા છે. દરેક મંદિરો નું અલગ અલગ મહત્વ અને રહસ્ય રહેલું હોય છે. આજે અમે તમને નેપાળમાં આવેલા એક મંદિર વિશે જણાવીશું, જે ૧૨૩૦૦ ફૂટ ઉંચાઈ પર આવેલું છે.

આ મંદિર નેપાળના મસ્તાંગ જિલ્લાના શોરંગલા પહાડીઓની વચ્ચે આવેલું છે. મુક્તિનાશ ધામ હિન્દુઓના મહત્વપૂર્ણ મંદિરોમાંથી એક માનવામાં આવે છે. જે બધા પાપોનો નાશ કરનાર તીર્થ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં ભગવાન વિષ્ણુને પણ જલંધર દૈત્યની પત્ની વૃંદાના શ્રાપથી મુક્તિ મળી હતી. કથાઓ પ્રમાણે મુક્તિક્ષેત્ર એ જ જગ્યા છે જ્યાં મોક્ષ પ્રાપ્તિ થાય છે. અહીં ભગવાન વિષ્ણુ શાલિગ્રામ શીલામાં નિવાસ કરે છે અને તેની પૂજા કરવામાં આવે છે. આ સ્થાન ગંડકી નદીની પાસે જ છે. હિન્દુ જ નહીં આ મંદિર પર બૌદ્ધ ધર્મના લોકોને પણ આસ્થા છે.

12300 ફીટની ઊંચાઈ પર આવેલું મંદિર

ઘણા હિન્દુ પુરાણોમાં મુક્તિનાથ ધામનો ઉલ્લેખ કરવામાં આવેલો  છે. આ નેપાળના મસ્તાંગ જિલ્લાના શેરાંગલા પહાડીઓની વચ્ચે 3750 મીટર અર્થાત્ 12300 ફીટની ઊંચાઈ પર આવેલું છે. આ મંદિર પગોડા શૈલીમાં બનેલું છે. મુક્તિનાથ ક્ષેત્ર પંચતત્વોથી યુક્ત છે. અહીં પૃથ્વી, જળ, આકાશ અને વાયુની સાથે જ પ્રાકૃતિક રીતે પ્રગટતી અગ્નિ પણ મોજુદ છે. એટલા માટે આ જગ્યાને સિદ્ધ સ્થાન માનવામાં આવે છે. 1815 માં નેપાળની મહારાણી સુવર્ણપ્રભાએ મુક્તિનાથ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.

બ્રહ્માજીના યજ્ઞથી બન્યું મુક્તિક્ષેત્ર

પુરાણોમાં બતાવ્યા મુજબ પૃથ્વી 7 ભાગો અને 4 ક્ષેત્રોમાં વહેંચાયેલી છે. આ ચાર વિસ્તારોમાં મુખ્ય મુક્તિક્ષેત્ર છે, આ ક્ષેત્ર સાથે જોડાયેલી કથા પણ છે કે શાલિગ્રામ પર્વત અને દામોદર કુંડની વચ્ચે બ્રહ્માજીએ મુક્તિક્ષેત્રમાં યજ્ઞ કર્યો હતો. જેના પ્રભાવથી ભગવાન શિવ અગ્નિ જવાળા રૂપમાં અને નારાયણ જળ રૂપમાં ઉત્પન્ન થયા હતાં. તેને લીધે જ આ વિસ્તારને પાપોનો નાશ કરનાર મુક્તિક્ષેત્ર કહેવાયું છે.

પંચતત્વ અને ત્રિશક્તિનું પ્રતિક

મુક્તિનાથ પરિસરના દક્ષિણી ખૂણામાં, મેબર લખાંગ ગોસ્પા નામની જગ્યા છે. જેને સાલમેમ્બર ડોલમ્બાર ગોસ્પા કે જ્વાલા માઈ મંદિર પણ કહેવામાં આવે છે. અહીં પ્રાકૃતિક ગેસથી લગાતાર અગ્નિ પ્રગટી રહી છે. એટલા માટે એવું માનવામાં આવે છે કે આ એ જ જગ્યા છે જ્યાં બ્રહ્માજીએ યજ્ઞ કર્યો હતો. આ અગ્નિની સાથે જ જળની ધારા પણ વહી રહી છે અર્થાત્ પાણી અને અગ્નિનો સંયોગ ખૂબ જ દુર્લભ છે. એટલા માટે આ જગ્યાએ ત્રિશક્તિ અને પંચતત્વનો સુમેળ છે.

મંદિરનું મહત્વ-

પૌરાણિક કથાઓમાં જણાવ્યા પ્રમાણે જલંધર દૈત્યના મૃત્યુ માટે વિષ્ણુએ તેની પત્ની વૃંદાનું સતીત્વ ભંગ કર્યું હતું. વૃંદાએ વિષ્ણુને પત્થર બની જવાનો શ્રાપ આપ્યો હતો. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અહીં શાલિગ્રામના રૂપમાં રહ્યા અને તેમને શ્રાપથી મુક્તિ મળી. એટલા માટે આ જગ્યાને મુક્તિધામના રૂપમાં પ્રસિદ્ધિ મળી છે. તેની સાથે જ અહીં બૌદ્ધ મઠ પણ હોવાથી આ બૌદ્ધધર્મના અનુયાયિઓ માટે પણ મહત્વપૂર્ણ તીર્થ માનવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer