તાઉ તે વાવાઝોડા પછી કેરીના ભાવ તળિયે, જાણો કેટલા રૂપિયામાં મળે છે એક મણ હાફૂસ અને કેસર કેરી

ગુજરાતમાં વાવાઝોડાના બીજા દિવસે જમીન પર ખરી પડેલી 17130 ટન કેરી વેચવા માટે ખેડૂતોએ એપીએમસી માર્કેટ અને મંડળીઓમાં લાઈન લગાવી હતી.

આખા વર્ષની મઆ વર્ષે પ્રતિકૂળ વાતાવરણ તેમજ અનિશ્ચિત બનેલી ઋતુઓને કારણે કેસર કેરીનો પાક દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ઓછો જોવા મળતો હતો. તેમાં ઉનાળા દરમિયાન પણ શિયાળા જેવો માહોલ જોવા મળતા આંબાનો પ્રથમ ફાલ ખરી પડયો હતો.

ત્યારબાદ આવેલા બીજા આવરણમાં પણ વાતાવરણની પ્રતિકૂળતા બાધક બનતી હતી, ત્યારે કેસર કેરીનું ઉત્પાદન આ વર્ષે 40થી 50 ટકા રહેવાની શક્યતાઓ ખેડૂતો વ્યકત કરી રહ્યા હતા.

આવા સમયે આવેલું વાવાઝોડું કેસર કેરી માટે વિનાશ બનીને આવ્યું હોય તે પ્રકારે પવનના કહેરે કેસર કેરીને જમીનદોસ્ત કરી દીધી અને આંબાવાડિયામાં જાણે કે કેસર કેરીને પથારી કરી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. જે ખેડૂતો માટે ખૂબ જ નુકસાનકર્તા જણાઈ રહ્યા છે.

સુરત જિલ્લામાં 3063 હેકટર જમીન પર કેરીનો પાક તૈયાર થયો હતો. વાવાઝોડાને કારણે કેરી ખરી પડતાં બીજા દિવસે ખેડૂતોએ એપીએમસી માર્કેટમાં વેચવા માટે લાઈન લગાવી હતી. સુરત એપીએમસી માર્કેટમાં અંદાજિત 8 હજાર ટન કેરી વેચાવા માટે આવી પહોંચી હતી.

જે હાફુસ- કેસર વાવાઝોડા પહેલાં 1200 રૂપિયે મણ હતી એ બુધવારે 300 રૂપિયે મણ વેચાઈ હતી.

કેસર સહિતની બાકીની કેરીના ભાવ તળિયે જઇ રૂ.200 બોલાયા હતા.વાવાઝોડા બાદ ફૂંકાયેલા ભારે પવનને કારણે ગીરની શાન સમી કેસર કેરી પર વાવાઝોડું જાણે કે કહેર બનીને તૂટી પડ્યું હોય તેવા ચિંતાજનક દૃશ્ય આજે સામે આવી રહ્યાં છે.

સોમવારે રાત્રીના 09:00 કલાક બાદ વાવાઝોડું ગુજરાતના દરિયાઈ વિસ્તારને સ્પર્શ કરતાની સાથે ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. આ પવનને કારણે કેસર કેરી જમીને દોસ્ત થતી જોવા મળી રહી છે. જે પ્રકારે વાવાઝોડાએ ગીરના આંબાવાડીઓમાં વિનાશલીલા નોતરી છે.

તેને જોઈને જગતનો તાત પણ હવે ખૂબ જ ગહન ચિંતામાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે.

કેસર કેરીની સિઝન બિલકુલ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી હતા આવી પરિસ્થિતિમાં વાવાઝોડા બાદ ફૂંકાયેલા પવને ખેડૂતના હાથમાં આવેલો કેસર કેરીનો પાક જાણે કે છિનવી લીધો હોય તેવા દ્રશ્યો ગીરના આંબાવાડિયામાં જોવા મળ્યા હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer