જાણો હિંદુ ધર્મમાં રહેવાતા વ્રતનું મહત્વ અને વ્રત ક્યારે કરવામાં આવે છે એ વિશે

અષાઢ સુદ અગિયારસ એટલે દેવપોઢી એકાદશીથી વ્રતોની શરૂઆત થઈ જાય છે. ગૌરીવ્રતથી પછી જાગરણના વ્રત આવશે. આ દરેક વ્રત આપણી પરંપરાનો એક ભાગ છે. જે યુગ-યુગથી ચાલી આવેલી પ્રથા છે.જેમાં કાળ-ક્રમે ફેરફાર થતો રહે છે.પરંતુ ‘વ્રતી ‘રહેવાની પ્રણાલી હજુ પણ જળવાઇ રહી છે. હિંદુસમાજના લોકધર્મમાં વ્રતકથાઓનું અનોખું મહત્વ છે. શ્રધ્ધા પૂર્વક વ્રત કરનારનું કલ્યાણ થાય છે. તેની ઉપેક્ષા, નિંદા અથવા તિરસ્કાસર કરનારને પ્રભુનો દંડ મળે છે. તેવી અનેક પ્રણાલિકાઓ ઉપર કથાઓ જન્મેલી હોય છે.

પહેલાના જમાનામાં મહિલાઓ કે યુવતીઓ પોતાના પરિવારના સભ્યો, બાળકોના સારા-સ્વાસ્થય, સુખ-શાંતિ તેમજ પતિના વ્યવસાયમાં કોઇ અડચણ ન આવે એ હેતુથી વ્રતના દિવસો દરમિયાન ઉપવાસ કરતી, અથવા તો ચોક્કસ પ્રકારનો ફળાહાર આરોગી વ્રત પૂર્ણ થતાં તેનું ઉજવણું કરવામાં આવે છે. સાથે જાગરણની વાત કરીએ તો પોતાના સગા-સંબંધી, પરિવારજનો સાથે આખીરાત શેરી રમતો, ગંજીપાનાની રમતો, રાસ-ગરબાના જેવા વિવિધ કાર્યક્રમો યોજી જાગરણ કરતી.

આજે પણ પરંપરા મુજબ વ્રત કરવાની રીત-ભાત કયાંકને કયાંક તો જળવાઇ રહી છે. સાથે-સાથે પરિવર્તન આવ્યું છે. પહેલા યુવતીઓ ‘સારો વર’ મેળવવાના હેતુથી વ્રતો કરતી જયારે આજે ‘યુવતીઓ….’મોર્ડન દેખાતી યુવતીઓ, મિત્રો સાથે ટોળા ટપ્પાંત મારવા, હરવા-ફરવા જવું, આખી રાત જાગીને મનોરંજન મેળવવા થિયેરટરમાં ફિલ્મ જોવા જવું, આવા વિવિધ ઉદ્દેશો સાથે વ્રત રહીને મનોરંજન મેળવવાનો મહિમા પણ વધ્યોન છે. સમગ્ર શ્રાવણ માસમાં આવતા વિવિધ જાગરણ વ્રતમાં યુવતીઓ-મહિલાઓ કેવી પ્રણાલીથી વ્રત કરે છે, તે કરવાથી શું ફળ પ્રાપ્તધ થાય છે, તે વિગતવાર જોઇએ…

જીવંતિકા વ્રત : શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી વ્રત શરૂ થાય છે વ્રત કરનાર જીવંતિકા દેવીનું પૂજન કરી તેને ધરાવેલો પ્રસાદ દિવસમાં એક જ સમયે આરોગે છે વ્રતના દિવસ દરમિયાન મહિલાઓ માત્ર લાલ વસ્ત્રો જ પહેરે છે. ઘરમાં સુખ-શાંતિ અને પતિના વ્ય્વસાયમાં અડચણ ન આવે તેવા હેતુથી આ વ્રત કરવામાં આવે છે.

ફૂલ કાજળી વ્રત : શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યા ઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે. સારો ‘વર’ મેળવવા માટે યુવતિઓ આ વ્રત કરે છે.

એવરત-જીવરત વ્રત : નવી પરણેલી વહુ પરણ્યા પછી પહેલા અષાઢ વદ તેરશથી વ્રત લે અને અમાસને દિવસે પુરૂં કરે છે. એ દિવસે વહેલી સવારે એવરત-જીવરત ગામની દેવીઓનું પૂજન કરે છે. દિવસે માત્ર ફળાહાર લઇને રાત્રે જાગરણ કરે છે. આ વ્રત પાંચ વર્ષ સુધી કર્યા પછી ઉજવાય છે. આ વ્રત પતિના દીધાર્યું માટે રહેવામાં આવે છે.

ગૌરી વ્રત

ગોરમાનો વર કેસરીઓ

નદીએ નહવા જાય રે ગોરમા….

નદીઓનાં ડહોળાં પાણી,

સરવર ઝીલવા જાયરે ગોરમા…

ઝીલી ઝીલી ઘેર પધાર્યા,

મોતીડે વધાવ્યાંધ ગોરમાં…

આવા વિવિધ અને ખૂબ જ સરસ વ્રતના ગીતો ગાયને અષાઢ સુદ અગિયારશના દિવસે શરૂ થતા ગૌરી વ્રતને કુંવારિકાઓ પાંચ દિવસ રહીને છેલ્લા દિવસે જાગરણ કરી પૂર્ણ કરે આ વ્રત કરવાથી કુમારિકાને શ્રેષ્ઠં પતિ મળે, સૌભાગ્ય સાથે સંપતિ સાંપડે છે. તે હેતુથી વ્રત કરવામાં આવે છે. તો આવો જાણીએ વિવિધ વ્રતને કેવી રીતે ઉજવવામાં આવે છે, અને વ્રત કરવા કે ન કરવા, તે અંગેના મંતવ્યો ની એક ઝલક.

નિકિતા જોષી, એવું માનું છે કે, વ્રત ન કરવા જોઇએ. કારણ કે એવી માન્યાતા છે કે વ્રત કરવાથી સારો વર અને સારું ઘર મળે છે. પરંતુ મનુષ્ય નો જન્મે થાય ત્યારથી જ તેનું નસીબ લખાયેલું હોય છે. તેથી વ્રત કરીએ કે ન કરીએ નસીબમાં જે છે. એજ મળવાનું છે.

પહેલાના જમાનામાં એવું કહેતા હતા વ્રત કરવાથી સારો વર પ્રાપ્ત થાય છે. પરંતુ એવું હોય કે ના હોય પણ વ્રતી રહેવાથી મનને શાંતી મળે છે. અને ભગવાન પરનો વિશ્વાસ રહે છે. આમ તો વિશ્વાસથી મોટી બીજી કોઇ શકિત નથી વ્રત કરવાથી એવો વિશ્વાસ આવે છે કે મને આ વસ્તુ મળશે પરંતુ વિશ્વાસ એ જ મોટી તાકાત છે અને તેનાથી મન પ્રફુલ્લીત રહે છે અને તબીયત સારી રહે છે તેમ ઘણા લોકોનું માનવાનું છે તેમ બારડ ઋષિતાએ જણાવ્યું હતું.

દાફડા આશા સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે,ગુજરાતમાં પ્રથા છે કે વ્રત કરવા જોઇએ કેટલાક લોકો આને એક મજાની રીતે કરે છે તો કેટલીક ગર્લ્સં પોતાની ફીટનેસ જાળવી રાખવા માટે કરે છે. પરંતુ અત્યારની યુવાપેઢીમાં એક શોખ બની ગયો છે. માટે જો શ્રધ્ધાથી કરવામાં આવે તો કરવું જોઇએ પણ જો એને એક શોખ રીતે કરવામાં આવે તો ન કરવું જોઇ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer