આજના સમયમાં તમને કોઈ વ્યક્તિ એવો ન જોવા નહીં મળે કે જેને ધનની લાલસા ન હોય. આજના સમયમાં દરેક લોકો વધુને વધુ ધન કમાવા માટે રાત-દિવસ મહેનત કરતા હોય છે. પરંતુ દરેક વ્યક્તિને પોતાના ભાગ્ય અનુસાર ધન મળતું હોય છે. ઘણા લોકોના ભાગ્ય ની અંદર ધનની ઉણપ હોવાના કારણે તેને પૂરતા પ્રમાણમાં ધન મળતું નથી. પરંતુ જો આવા વ્યક્તિઓ યોગ્ય ઉપાય કરે તો તેના કારણે તેનું પણ ભાગ્ય બદલાઇ શકે છે, અને તેના જીવનની અંદર પણ થઈ શકે છે બરકત. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ધનપ્રાપ્તિ માટેના અમુક એવા અચૂક ઉપાય કે જે તમને પણ રાતોરાત બનાવી દેશે ધનવાન.
ધન પ્રાપ્તિના અચૂક ઉપાય
આપણે દરેક લોકો જાણીએ છીએ કે તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર હોય છે, અને મોટાભાગના હિંદુ ઘરોની અંદર તુલસીનો છોડ જોવા મળે છે. વાસ્તુ શાસ્ત્ર ની અંદર પણ તુલસી ના છોડ ના અનેક મહત્વ વિશે સમજાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિને પોતાના જીવનની અંદર અઢળક ધન મેળવવું હોય અને સફળતા મેળવવી હોય તો તેના માટે તુલસીના પાનને લગતા અમુક ઉપાયો કરવાની જરૂર પડે છે.
ધન પ્રાપ્તિના અચૂક ઉપાય
તુલસી ના પાન થી જોડાયેલા આ અચૂક ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે સવારમાં બ્રહ્મ મુરત ની અંદર ઉઠી ત્યારબાદ સ્નાન કરી તુલસીના 11 પાન ને તોડી લો, અને હંમેશાને માટે તુલસીના પાનને તોડતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ પાન અને તોડતા પહેલા માતા લક્ષ્મી પાસે હંમેશાને માટે ક્ષમા માંગી લેવી, અને બીજી વાતનું ધ્યાન રાખવું કે એક પણ પાન ખંડિત ન થવું જોઈએ અથવા તો કપાયેલું ન હોવું જોઈએ.
ત્યારબાદ આ બધા જ 11 પાનને પાણીથી બરાબર ધોઈ લો, અને ત્યારબાદ તેના નાના નાના ટુકડા કરી અને એક વાસણની અંદર રાખી દો. ત્યારબાદ આ તુલસીના ટુકડાને તમારા ભોજનની અંદર ઉપયોગ કરી લો. આમ કરવાથી માત્ર થોડા દિવસોની અંદર તમે પોતે જ તમારા સ્થિતિની અંદર થતા બદલાવને જોઈ શકશો. પરંતુ અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ ઉપાય ભૂલથી પણ રવિવારના દિવસે અથવા તો એકાદશીના દિવસે ન કરવો જોઈએ.
કેમકે વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર એવું માનવામાં આવે છે કે અગિયારસ અથવા તો રવિવારના દિવસે તુલસી ને તોડવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે, અને આથી જ આ દિવસે જ આ ઉપાય કરવામાં આવે તો તેના કારણે તેનું યોગ્ય પરિણામ મળતું નથી, અને વ્યક્તિને ધન લાભ થતો નથી. પરંતુ જો આ રીત રિવાજ અનુસાર અને નિયમો અનુસાર આ ઉપાયને કરવામાં આવે તો તેના કારણે તમને અવશ્ય ધનલાભ મળે છે અને તમે કાયમી માટે બની શકો છો ધનવાન.