વૈદિક શાસ્ત્ર મુજબ આ શાક આપે છે ડાયાબીટીસ અને પથરી જેવા અનેક રોગોમાંથી મુક્તિ

તુરિયાના શાકથી બધા લોકો પરિચિત હશે. પણ આ શાક શરીરમાં વધતી ગરમી સામે લડવા અને હિમોગ્લોબિનની માત્રાને કાયમ રાખવા માટે ભગવાને આપેલુ સૌથી મોટુ વરદાન છે. આનુ વાનસ્પતિક નામ લુફ્ફા એક્યૂટેંગુલા છે. તુરિયાને આદિવાસી અનેક રીતે રોગપચાર માટે ઉપયોગમાં લે છે. મધ્યભારતના આદિવાસી આને શાકના રૂપમાં પ્રેમથી ખાય છે અને હર્બલ માહિતગાર આને અનેક નુસ્ખોમાં ઉપયોગ પણ કરે છે..

ચાલો આજે જાણીએ આવા જ કેટલાક રોચક હર્બલ નુસ્ખાને. 500 ગ્રામ તુરિયાને ઝીણા સમારીને 2 લીટર પાણીમાં ઉકાળો. ત્યારબાદ પાણીને ગાળી લો. હવે જે પાણી બચ્યુ હોય તેમા રીંગણા બનાવી લો. રીંગણ બફાય ગયા પછી તેને ઘીમાં સેકીને ગોળ સાથે ખાવાથી બવાસીરમાં થતો દુ:ખાવો ને મસ્સા મટી જાય છે..

કમળો થતા તુરિયાનો રસ જો રોગીના નાકમાં બે થી ત્રણ ટીપા નાખવામાં આવે તો નાકમાંથી પીળો રંગનો દ્રવ બહાર નીકળે છે. આદિવાસી માને છે કે આનાથી ખૂબ જલ્દી કમળાનો રોગ ખતમ થઈ જાય છે. તૂરિયાને નાના નાના ટુકડામાં કાપીને છાંયડામાં સુકવી લો. સૂકાયેલા ટુકડાને નારિયળના તેલમાં મિક્સ કરીને 5 દિવસ સુધી મુકી રાખો. પછી તેને ગરમ કરી લો. તેલ ગાળીને રોજ વાળ પર લગાવો અને માલિશ પણ કરશો તો વાળ કાળા થઈ જાય છે..

તુરિયામાં ઈંસુલિનની જેમ પેપ્ટાઈડ્સ જોવા મળે છે તેથી ડાયાબીટિસ નિયંત્રણ માટે એક સારા ઉપાયના રૂપમાં જોવામાં આવે છે. તુરિયાના પાન અને બીજને પાણીમાં વાટીને ત્વચા પર લગાવ્યા પછી દાદ-ખાજ અને ખુજલી જેવા રોગોમાં આરામ મળે છે. આમ તો આ કોઢના રોગમાં પણ લાભકારી હોય છે.તુરિયાની વેલને દૂધ કે પાણીમાં ઘસીને 5 દિવસ સુધી સવાર સાંજ પીવાથી પથરીમાં આરામ મળે છે.અપચો અને પેટની સમસ્યાઓ માટે તૂરિયાનુ શાક ખૂબ જ કારગર ઈલાજ છે…

ડાંગી આદિવાસીઓ મુજબ કાચુપાકુ શાક પેટનો દુ:ખાવો દૂર કરી દે છે.આદિવાસી માહિતી મુજબ સતત તુરિયાનું સેવન કરવુ આરોગ્ય માટે સારુ રહે છે. તૂરિયાને લોહી સાફ કરવા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. સાથે જ આ લિવર માટે પણ ગુણકારી છે. ગાયના દૂધ અથવા ઠંડા પાણીમાં લુફાના ચૂર્ણને પીસી લો અને દરરોજ સવારે 3 દિવસ પીવાથી પથરી ઓગળવા લાગે છે.  જેમ કેરી કાચી હોય ત્યારે ખાટી અને પાકી જાય ત્યારે મીઠી થઇ જાય છે..

એવો કોઈ પણ ગુણધર્મ દુધી-કાકડી-ઘીસોડા(તુરિયા)-ગલકા-કોળું, વગેરે કોઈ શાકભાજીમાં હોતો નથી. આવા શાક, તેમાં રહેલા cucurbitacins નામના chemical ની માત્રા વધી જવાથી ઝેરી અને કડવા બની જતા હોય છે. Cucurbitacins માત્ર થોડી માત્રામાં લેવામાં આવે તો પણ લોહીની ઉલ્ટી થી માંડીને અન્નનળીમાં જલદ ઝેરના કારણે ચાંદા પડવાં, લીવરને નુકસાન, આંતરડામાં તથા પેટના આંતરિક અવયવોમાં રક્તસ્ત્રાવ, પેન્ક્રિયાસમાં સોજો વગેરે જેવી તકલીફો શરૂ થઇ જાય છે.. તે છેવટે મલ્ટી ઓર્ગન ફેઇલ્યોરમાં પરીણમે છે.સામાન્ય રીતે ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર કે હાઇ-કોલેસ્ટરોલ જેવા રોગોમાં રાહત માટે કે સામાન્ય નિરોગી રહેવા માટે ઘણા લોકો નિયમિત દૂધીનો રસ પીવે છે..

ઘણાં લોકો ઊંટવૈદું કરવા તેમાં કરેલાનો રસ પણ ભેળવે છે. એવા કેસમાં દૂધી પણ કડવી હોય તો એ જાણવાનો કોઈ રસ્તો બચતો નથી.ઉપરોક્ત તારીખે એકલા અમદાવાદમાં 30-૫૦ કેસ તો ફક્ત સિવીલ હોસ્પિટલમાં નોંધાયા હતા. કેટલાંક વર્ષ પહેલાં કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ જેવી ભારત સરકારની ટોચની વૈજ્ઞાનિક સંશોધન સંસ્થાના એક વિજ્ઞાની સુશીલ કુમાર સક્સેનાનું મોત માત્ર દૂધીના રસની ઝેરી અસરના કારણે થયું હતું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer