ભગવાન વિષ્ણુનું અનોખું ધામ, અહી ૬ મહિના મનુષ્ય અને ૬ મહિના દેવતાઓ કરેછે પૂજા.

આજે અમે ઉત્તરાખંડમાં આવેલા શ્રી બદ્રીનાથ ધામ વિશે જણાવીશું, ઉત્તરાખંડના ચમોલી જનપદ માં અલકનંદા નદીના કિનારે આવેલ એક હિંદુ મંદિર છે. બદ્રીનાથ ધામ ભગવાન વિષ્ણુનું ધામ માનવામાં આવે છે. બદ્રીનાથ ચાર ધામો માં નું એક ધામ છે. બદ્રીનાથ ધામમાં પ્રકૃતિ પોતાના શૃંગારથી મંદિરને સજાવે છે. શીતકાળમાં ભગવાન વિષ્ણુનું સર્વશ્રેષ્ઠ ધામ બદ્રીનાથ દોઢ થી બે ફૂટ મોટી બરફની સફેદ ચાદરથી ઢંકાઈ જાય છે.

બદ્રીનાથ ધામમાં શીતકાળમાં મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે. શીતકાળમાં મંદિરના પટ ૬ મહિના સુધી બંધ રાખવામાં આવે છે. બદ્રીનાથ ધામમાં ૩.૩ ફૂટ લાંબી શાલીગ્રામ થી બનેલી મૂર્તિ છે, જેના વિશે માનવામાં આવે છે કે તેને આદિ શંકરાચાર્ય એ ૮ મી શતાબ્દીમાં નારદ કુંડ માંથી કાઢીને સ્થાપિત કરી હતી.

શીતકાળમાં ભગવાન બદ્રીનાથ ધામમાં પૂજા અર્ચના ભગવાન નારદ દ્વારા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શીતકાળમાં ભગવાન બદ્રીવિશાળ મનુષ્યને દર્શન નથી આપતા પરંતુ આ સમય દરમિયાન બદ્રીનાથ મંદિરમાં દેવતાઓને દર્શન આપે છે. શીતકાળમાં બદ્રીનાથ માં દેવતાઓ દ્વારા પૂજા પાઠ કરવામાં આવે છે. બદ્રીનાથ ધામ પહેલું ધામ છે જ્યાં ૬ મહિના મનુષ્ય પૂજા કરે છે અને ૬ મહિના દેવતા પૂજા કરે છે.

શીતકાળમાં બદ્રીનાથ ધામના કપાટ બંધ થઇ જાય છે તો આ સમયે બદ્રીનાથ ધામમાં દેવતા પૂજા કરે છે. આ સમયે બદ્રીનાથ ધામનો શૃંગાર પ્રકૃતિ દ્વારા કરવામાં આવે છે. શીતકાળમાં અહી ૨-૩ ફૂટ ની મોટી બરફની ચાદર પાથરેલી હોય છે. બદ્રીનાથ ધામમાં શીતકાળમાં દેવતાઓની પૂજાનો સમય ચાલી રહ્યો હોય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer