અહીં મળે છે કોરોનાની જાદુઈ દવા.. દવા લેવા લાગે છે 10,000 માણસોની લાઈન CM થી લઈ ઉપરાષ્ટ્રપતિ. . .

કોવીડ -19 નો આયુર્વેદિક ‘ઉપચાર’ મેળવવા શુક્રવારે સવારથી મોટી સંખ્યામાં લોકો આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાના કૃષ્ણપટ્ટનમ શહેરની મુલાકાતે આવી રહ્યા છે.

અગાઉ, સાર્વપલ્લી મત વિસ્તારના ધારાસભ્ય કાકાની ગોવર્ધન રેડ્ડીએ જાહેરાત કરી હતી કે શુક્રવારે સવારથી દવા વિતરણ કરવામાં આવશે. તેમ છતાં, હજી સુધી અધિકારીઓ તરફથી કોઈ મંજૂરી મળી નથી, તેથી લોકો વિતરણ શરૂ થવા માટે કતારોમાં બેઠા હતા.

કાઉન્ટર્સ અને સોશિયલ ડિસ્ટન્સ જેવી બધી વ્યવસ્થાઓ સ્થળ પર કોવીડ -19 પ્રોટોકોલ મુજબ જ થયેલ છે.

નેલ્લોર કલેક્ટર કે.વી.એન. ચક્રધાર બાબુના જણાવ્યા મુજબ, કમિટીને ‘દવા’ લેતા લોકોમાં તેની કોઈ પ્રતિકૂળ અસર જોવા મળી ન હતી.

આયુર્વેદિક દવા COVID-19 ચેપ મટાડી શકે છે તેવા વૈજ્ઞાનિક પુરાવા નથી છતાં, લોકો આયુર્વેદિક ઉપચાર માટે તરફ વળી રહ્યા છે.જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અધિકારીઓ અને આયુષ ડોકટરોની બનેલી સમિતિની રચના, આ દવાની અસરકારકતાને ધ્યાનમાં લેવામાં માટે કરવામાં આવી છે.

હૈદરાબાદની આયુષ પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલવામાં આવેલા નમૂનાઓના પરિણામોની રાહ જોવાઇ રહી છે.

દરમિયાન, મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી, જેમને આ મામલે જાણ કરવામાં આવી હતી, તે તપાસ કરી રહી છે અને નિર્ણય લેવાની રાહ જોઈ રહ્યાં છે.આ બેઠકમાં મુખ્યમંત્રીએ આયુર્વેદિક દવા વિશે જાણકારી હાંસલ કરી હતી. જેને તેમની પાર્ટીના જિલ્લા અધ્યક્ષ તથા ધારાસભ્ય હોવર્ધન રેડ્ડી પ્રોત્સાહિત કરી રહ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે આનંદૈયાએ કુદરતી ઔષધિઓ, મધ અને મસાલાઓનો ઉપયોગ કરીને પાંચ જુદી જુદી દવાઓ તૈયાર કરી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer