એવું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિના કોઈ ને કોઈ ઇષ્ટ દેવ હોય છે, ચાલો જાણીએ સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે ક્યાં દેવી દેવતાઓની ઉપાસના કરવી જોઈએ..
![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/07/4-73-774x1024.jpg)
ઈષ્ટદેવની ઉપાસના કરવાથી વ્યક્તિના જીવનમાં ઉન્નતી પ્રાપ્ત થાય છે. તેનું નિર્ધારણ લોકો કુંડળીના આધારે કરે છે. વાસ્તવમાં ગ્રહો અને જ્યોતિષનો ઇષ્ટદેવ સાથે કઈ જ સબંધ નથી હોતો. પરંતુ ઈષ્ટદેવનું નિર્ધારણ આપના જન્મ જન્માન્તર ના સંસ્કારો સાથે સંકળાયેલ હોય છે. કોઈ પણ કારણ વિના જે ભગવાન તરફ તમારું વધુ આકર્ષણ હોય એ તમારા ઇષ્ટ દેવ. ગ્રહો ક્યારેય ઈશ્વરનું નિર્ધારણ નથી કરતા. ગ્રહોની સમસ્યા દુર કરવા માટે વિશેષ દેવી દેવતાઓની ઉપાસના કરી શકાય છે.
![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/07/3-105-1024x576.jpg)
ક્યાં ગ્રહની સમસ્યા દુર કરવા માટે ક્યાં દેવી-દેવતાની ઉપાસના કરવી?
-સૂર્ય માટે સૂર્યની ઉપાસના કરવી અથવા ગાયત્રી મંત્રનો જાપ કરવો.
-ચંદ્ર માટે ભગવાન શિવની ઉપાસના કરવી ઉત્તમ માનવામાં આવે છે.
-મંગલ માટે કુમાર કાર્તિકેય અથવા હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ.
-બુધ માટે માં દુર્ગાની ઉપાસના કરવી જોઈએ.
-બૃહસ્પતિ માટે શ્રી હરિની ઉપાસના કરવી જોઈએ.
-શુક્ર માટે માં લક્ષ્મી અથવા માં ગૌરીની ઉપાસના કરવી જોઈએ.
-શાની માટે શ્રી કૃષ્ણ અથવા ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ.
-રાહુ માટે ભૈરવ બાબાની ઉપાસના કરવી જોઈએ.
-કેતુ માટે ભગવાન ગણેશની ઉપાસના કરવી જોઈએ.
![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/07/2-111.jpg)
પોતાની વિશેષ સમસ્યાઓ માટે ક્યાં દેવી દેવતાઓની ઉપાસના કરવી જોઈએ?
-માનસિક સમસ્યાઓ દુર કરવા માટે શિવજીની ઉપાસના કરવી.
-શારીરિક દુખાવાની સમસ્યા દુર કરવા માટે હનુમાનજીની ઉપાસના કરવી.
-શીઘ્ર વિવાહ માટે પુરુષોએ માં દુર્ગાની અને મહિલાઓએ ભગવાન શિવની ઉપસના કરવી.
-બાધાઓનો નાશ કરવા માટે ભગવાન ગણેશજીની પૂજા કરવી જોઈએ.
-ધન માટે માં લક્ષ્મીની ઉપાસના કરવી.
-મુક્તિ મોક્ષ અથવા આધ્યાત્મિક ઉપલબ્ધી માટે ભગવાન કૃષ્ણ અથવા ભગવાન શિવજીની ઉપાસના કરવી.
![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/07/1-119.jpg)