ફક્ત એક ચપટી કેસરનું સેવન કરવાથી તમને મળી શકે છે આટલી બીમારીમાંથી મુક્તિ…જાણો

આયુર્વેદ માં કેસર એ ઘણું ગુણકારી માનવામાં આવે છે અને તેનું સેવન કરવાનું ઉત્તમ હોય છે. કેસર ની સાથે ઘણા પ્રકારના ઔષધીય ગુણ જોડાયેલ છે અને આ શરીર માટે બહુ જ લાભદાયક હોય છે. તેના અંદર વિટામીન એ 10%, વિટામીન સી 134%, કેલ્શિયમ 11%, આયર્ન 61%, વિટામીન બી 6.50% અને મેગ્નેશિયમ 66% મળે છે. કેસર ને ખાવાથી શરીર ને શું ફાયદા પહોંચે છે તેની જાણકારી આ પ્રકારે છે.

કેન્સર જેવી ઘાતક બીમારીની સામે કેસરના ફાયદા જોવા મળ્યા છે, કેસરમાં એંટીકેન્સર ગુણ જોવા મળે છે. એક વૈજ્ઞાનિક શોધ મુજબ કેસરમાં રહેલ ક્રોસીં, કોલોરેકટલ કેન્સર કોશિકાઓને વધતી રોકી શકે છે. આ સિવાય કેસર પ્રોસ્ટેટ કેન્સર અને સ્કીન કેન્સર પર પણ સકારાત્મક પ્રભાવ પાડી શકે છે.

ક્રોસીન સિવાય કેસરમાં કૈરોટેનોઈડ્સ નામનું તત્વ પણ મળી આવે છે, જેમાં એંટી કેન્સર ગુણ જોવા મળ્યા છે. એક અન્ય વૈજ્ઞાનિક શોધ મુજબ કેસરમાં રહેલ ક્રોસેટિનીક એસિડમાં અગ્નાશયના કેન્સરને પણ રોકવાનું કામ કરી શકે છે.

આર્થરાઈટિસ જેવા હાડકાના રોગો માટે કેસર ખાવાના ફાયદા જોઈ શકાય છે. કેસરમાં ક્રોસેટીન નામનું એક ખાસ તત્વથી સમૃધ્ધ હોય છે, જે સંધિવાના ઇલાજમાં મદદ કરી શકે છે. કેસરના ફેડમાં આંખોની રોશનીમાં સુધાર થવું પણ સામેલ છે.

કેસર એંટીઓક્સિડન્ટ ગુણોથી સમૃધ્ધ હોય છે, જે એએમડી(વધતી ઉમરથી જોડાયેલ નેત્ર રોગ)પર પ્રભાવક અસર જોવા મળી શકે છે. આ સિવાય કેસરમાં રહેલ એંટીઈફલેમેટ્રી ગુણ રેતીના સ્ટ્રેસથી છુટકારો અપાવવાનું પણ કામ કરી શકે છે.

સિડની વિશ્વ વિધ્યાલયની એક શોધ મુજબ, વૃધ્ધ વ્યતિઓની દ્રષ્ટિમાં સુધાર લાવવા માટે કેસર પ્રભાવી સાબિત થયું છે. પરીક્ષણમાં જોવા મળ્યું છે કે કેસરની ગોળીયો લીધા પછી દર્દીઓની દ્રષ્ટિમાં સુધારો જોવા મળ્યો છે. શોધમાં એ વાત પણ ખબર પડી છે કે રેટીનાઈટિસ પિગમેંટોસા જેવી વારસાગત નેત્ર રોગના ઇલાજમાં પણ કેસર સક્ષમ છે, જે યુવાઓમાં કાયમી આંધળાપણાનું કારણ બની છે.

કેસરના ગુણમાં અનિદ્રાથી છુટકારો પણ સામેલ છે. કેસર યુવાનોમાં અવસાદ(ડિપ્રેશન)ને ઓછું કરી શકે છે, જેનાથી એક સારી ઊંઘ લેવામાં મદદ મળી શકે છે. આ સિવાય કેસર ક્લિનિકલ ડિપ્રેશન જેવી માનસિક સ્થિતિ પર પણ સકારાત્મક પ્રભાવ પાડી શકે છે.

મસ્તિષ્કના સ્વાસ્થ્ય માટે પણ કેસર ખાવાના ફાયદા જોઈ શકાય છે. વૈજ્ઞાનિક શોધ મુજબ એક દિવસમાં ૩૦ mg કેસરના સેવન કરવાથી અલ્ઝાઇમરના રોગીઓની સ્થિતિમાં સુધારો જોઈ શકાય છે. કેસરમાં રહેલ બે ખાસ તત્વો ક્રોસીન અને એથેનોલથી પ્રાપ્ત અર્કમાં એંટીડિપ્રેસેંટ ગુણ જોવા મળે છે, જે અવસાદ(ડિપ્રેશન)ને ઘટાડવાનું કામ કરી શકે છે.

આ સિવાય કેસર સિજોફ્રેનિયા(માનસિક વિકાર)ના રોગીઓ પર પણ સકારાત્મક પ્રભાવ બતાવી શકે છે. શ્વાસ સંબંધી સમસ્યાઓ માટે કેસરનો ઉપયોગ પ્રાચીન કાળથી કરવામાં આવી રહ્યો છે. પારંપરિક ચિકિત્સામાં કેસરના ઉપયોગનો ઉલ્લેખ પણ મળે છે, પરંતુ એના પર હજી શોધ ચાલી રહી છે. એટલે વધારે જાણકારી માટે આપે ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

કેસર પોતાના એંટી ઓક્સિડેંટ અને એંટી ઇન્ફ્લેમેટરી ગુણોના માધ્યમથી પાંચનશક્તિને વધારી ડે છે અને પાચન વિકારોના ઇલાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. કેસર પેપ્ટીક અલ્સર અને અલ્સરેટિવ કોલાઇટીસના ઇલાજમાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

કેસર જખમને પણ ઠીક કરી શકે છે, ખાસ કરીને જે દાઝી ગયાના કારણે જખમ બને છે. દાઝી ગયાના જખમનો ઉપચાર કરવામાં આ ખાસ પદાર્થ ખૂબ પ્રભાવી મળી આવે છે. કેસરમાં રહેલ કૈરોટીનોયડ સકારાત્મક રૂપથી પ્રતિરક્ષા પ્રણાલીમાં સુધારી શકે છે. એક અધ્યયનમાં મળી આવ્યું છે કે દરરોજ ૧૦૦ મીલીગ્રામ કેસર કોઈ હાનિકારક પ્રભાવ વગર અસ્થાઈ ઈમ્યુણોમોડ્યૂલેટ્રી ગતિવિધિ માટે સહાયક સાબિત થઈ શકે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer