જાણો કેમ હનુમાનજી એક રાજકુમાર હોવા છતાં પણ સુગ્રીવના મંત્રી બન્યા હતા

તમને બધાને એ તો ખબર જ હશે કે રામાયણ ની અનુસાર હનુમાનજી વાનરરાજ સુગ્રીવ ના મંત્રી હતા. અને જયારે સુગ્રીવ એમના રાજ્યથી નિષ્કાસિત હતા ત્યારે એની સાથે પર્વત પર રહેતા હતા. હનુમાનજી સ્વયં એક રાજકુમાર હતા અને એના પિતા નું નામ કેસરી હતું. તે ઈચ્છે તો એમના રાજ્ય નું શાશન કરીને સુખ પૂર્વક જીવન વ્યતીત કરી શકતા હતા. પરંતુ તે રાજા ન બન્યા અને સુગ્રીવ ના મંત્રી બની ગયા. આ મંત્રી નો ઉલ્લેખ પૂરો વિસ્તાર થી નીચે આપવામાં આવ્યો છે, આવો જાણીએ શું હતું રહસ્ય.

આ વાત ની પાછળ એક રહસ્ય છુપાયેલું છે અને તે રહસ્ય એના બાલ્યકાળ થી સંબંધિત છે. બાળ સમયમાં જયારે એના માટે કોઈ યોગ્ય ગુરુની શોધ કરવામાં આવી રહી હતી. ત્યારે નારદજી એ વાનરરાજ કેસરી ને સલાહ આપી કે હનુમાનજી તો સ્વયં શિવનો અવતાર છે. આ પૃથ્વી  પણ જીવ એના ગુરુ નથી બની શકતા. તેથી હનુમાનજી ને સૂર્યદેવ ની પાસે વિદ્યા માટે મોકલવામાં આવે.

નારદજી ની વાત માનીને હનુમાનજી ને સુર્યદેવની પાસે મોકલવામાં આવ્યા. ખુબ જ અલ્પ સમયમાં હનુમાનજી એ સૂર્યદેવથી શિક્ષા પ્રાપ્ત કરી લીધી અને જયારે હનુમાનજી ની શિક્ષા પૂર્ણ થઇ તો હનુમાનજી એ સૂર્યદેવથી ગુરુ દક્ષિણા માંગવાનું કહ્યું હતું. એ સમયે સૂર્યદેવ એ હનુમાનજી ને કહ્યું કે મારુતિ તમે મારા પુત્ર સુગ્રીવ ની સાથે રહીને એની રક્ષા કરો. જયારે તમે સુગ્રીવ  ની સાથે રહેશો ત્યારે તમને તમારા ઇષ્ટ પ્રભુ શ્રી રામની પ્રાપ્તિ થશે. ત્યાર પછી ભગવાન રામ ની સેવા કરી પછી એના દુતવાસ પણ બન્યા હતા.

એમના ગુરુદેવ ભગવાન સૂર્ય ની વાત માનીને હનુમાનજી એમના રાજ્યમાં એમના પિતાની પાસે જવાના સ્થાન પર સુગ્રીવ ની પાસે જતા રહ્યા. એ સમયે સુગ્રીવ એમના ભાઈ બાલીના ભય થી પર્વત પર છુપાઈ રહ્યા હતા. એ સમયે હનુમાનજી એ સુગ્રીવની સહાયતા બાજુ હનુમાનજી એ જ શ્રી રામ અને સુગ્રીવ નો મિલાપ કરાવ્યો/ આ પ્રકારે હનુમાનજી એ એમના ગુરુ ને આપેલું વચન પૂરું કર્યું. ત્યાર પછી હનુમાનજી રાજકુમાર ની સાથે સુગ્રીવના મંત્રી બન્યા હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer