કેરીના પાન સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ગુણકારી, આ વિશેષ ફાયદાઓ વિશે જરૂરથી જાણો 

ગરમીઓની ઋતુમાં કેરી ખાવી કોને ન ગમે. તેમાં વિટામિન-A, વિટામિન C અને આ ઉપરાંત કૉપર, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ પણ હોય છે. તમને જાણીને નવાઇ લાગશે કે માત્ર કેરી જ નહીં પરંતુ આંબાના પાન પણ તેટલા જ લાભદાયી હોય છે.

તેનો હર્બલ મેડિસિન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આંબાના નવા પાંદડા લાલ હોય છે જ્યારે જૂના થવા પર આ પાંદડા ડાર્ક ગ્રીન કલરના થઇ જાય છે અને ધીમે-ધીમે તે પીળા રંગના થવા લાગે છે. આ પાંદડાઓમાં એન્ટીઑક્સિડેન્ટના ગુણ પણ મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક હોય છે. જાણો, આંબાના પાંદડાઓથી થતા ફાયદાઓ વિશે.

કિડનીમાં જમા થતા સ્ટોન્સમાં પણ રાહત અપાવે છે. આંબાના પાનને ક્રશ કરીને તેને રાતભર પાણીમાં રહેવા દો. ત્યારબાદ સવારે ઉઠીને આ પાણી પી જાઓ તેનાથી કિડનીમાં થતા સ્ટોન નષ્ટ થઇ જાય છે. કોલ્ડ, બ્રોંકાઇટિસ અને અસ્થમા જેવી બીમારીઓ માટે આંબાના પાંદડા ઘણા અસરકારક સાબિત થાય છે. આંબાના કેટલાક પાંદડાઓને પાણીમાં ઉકાળી લો અને તેમાં થોડુક મધ મિક્સ કરો હવે આ પાણી પી જાઓ.

તેનાથી ગળાને પણ રાહત મળે છે.  પેટ ખરાબ થવાની સમસ્યામાં પણ આંબાના પાંદડા એક રામબાણ ઇલાજની જેમ કામ કરે છે. આંબાના પત્તાને સુકવીને તેનો પાઉડર બનાવી લો. ત્યારબાદ આ પાઉડરને પાણીમાં મિક્સ કરીને દિવસમાં બેથી ત્રણવાર પીઓ. નિયમિત પણે તેને પીવાથી પેટના બધા ટૉક્સિન્સ નિકળી જાય છે અને તમારું પેટ સાફ થઇ જાય છે.

આંબાનાં પાન કાનના દુખાવવામાં પણ રાહત અપાવે છે. કાનનો દુખાવો ખૂબ જ અસહનીય હોય છે. આંબાના પાંદડાને નિચોવીને તેનો જ્યુસ નિકાળી લો અને તેના ટીપા કાનમાં નાંખો તેનાથી કાનના દુખાવામાં ઝડપી રાહત મળે છે. ધ્યાન રાખો તેનો ઉપયોગ કરતા પહેલા જ્યુસને ગરમ કરી લો.

જે જગ્યાઓ પર તમારી ત્વચા દાઝી ગઇ છે ત્યાં આંબાના પાન રાખો તેનાથી ત્વચાને ફાયદો થાય છે અને બળતરામાં પણ રાહત મળે છે. આંબાના પત્તા હિચકી પણ બંધ કરે છે. આ પત્તા ગળાની અન્ય સમસ્યા અને હિચકી આવવાની આદતને ખત્મ કરે છે. આંબાના કેટલાક પાંદડાને સળગાવીને તેનો ધુમાડો શ્વાસ મારફતે અંદર લો. તેનાથી ગળાની સમસ્યા ખતમ થઇ જાય છે અને હિચકી પણ બંધ થઇ જાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer